Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેનની થવા જઇ રહી છે વાપસી, જાણો ક્યારે કરશે કમબેક

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં ઘણો લોકપ્રિય છે. આ દિવસોમાં શોનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. શો ના સૌથી પ્રિય પાત્રો એક પછી એક શો છોડીને જઇ રહ્યા છે, જેના કારણે હવે મેકર્સ ફેન્સ માટે એક મોટું

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં ઘણો લોકપ્રિય છે. આ દિવસોમાં શોનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. શો ના સૌથી પ્રિય પાત્રો એક પછી એક શો છોડીને જઇ રહ્યા છે, જેના કારણે હવે મેકર્સ ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. હવે આ સરપ્રાઈઝ શું છે એ જાણ્યા પછી તમે પણ આનંદથી ઉછળી જશો. ચાલો તમને જણાવીએ કે આખરે આ સરપ્રાઇઝ શું છે?

દયા બેનની થશે વાપસી

દયા બેનની થશે વાપસી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે આ વખતે તેઓ દર્શકો માટે દિવાળીની ભેટ લાવશે. સુત્રો દ્વારા જાણકારી મળી છેકે શોમાં દયાબેનની એન્ટ્રી થવાની છે. ઉલ્લેખનિય છેકે છેલ્લા 3 વર્ષથી દયા બેન આ શોમાંથી ગાયબ છે. હવે ટૂંક સમયમાં જ દિશા વાકાણી ઉર્ફે દયા બેન દ્વારા આ શોમાં ફરીથી દયાબેનના પાત્રને જોવાની તક મળી શકે છે.

નિર્માતાઓએ દિશા વાકાણીનો કર્યો સંપર્ક

નિર્માતાઓએ દિશા વાકાણીનો કર્યો સંપર્ક

એક રિપોર્ટ્સ અનુસાર નિર્માતાઓ ફરી એકવાર દયાબેનને શોમાં લાવવા માટે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે દયા બેનને શો માટે ઓફર આપી છે, જો અભિનેત્રી આ ઓફર સ્વીકારશે તો ટૂંક સમયમાં જ શોમાં દયાબેનનું પાત્ર ફરી જોવા મળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સે અભિનેત્રીને માત્ર 2 મહિનાનો સમય આપ્યો છે અને જો દિશા વાકાણી જવાબ નહીં આપે તો મેકર્સ તેની જગ્યાએ બીજી દયાબેનને લાવશે.

નિર્માતા 5 વર્ષથી કરી રહ્યા છે ઇંતજાર

નિર્માતા 5 વર્ષથી કરી રહ્યા છે ઇંતજાર

દાવો કરવામાં આવી રહ્યો છેકે નિર્માતાઓએ દયાબેનને શોમાં લાવવા માટે 5 વર્ષ લાંબી રાહ જોઈ હતી કારણ કે તેઓ દિશા વાકાણીને પરત લાવવા માંગે છે. શોમાં દયાબેનને જોવા માટે ચાહકોએ હજુ બે મહિના રાહ જોવી પડશે. જો દિશા આ ઓફર સ્વીકારી લેશે તો તેના પરત ફરવાના સમાચાર સાંભળીને ચાહકો ખુશ ખુશાલ થઇ જશે.

આ કારણે દિશા વાકાણીએ શોમાંથી લીધો હતો બ્રેક

આ કારણે દિશા વાકાણીએ શોમાંથી લીધો હતો બ્રેક

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. તે સમયે દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. લગભગ 5 વર્ષથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે આખરે દયાબેન ક્યારે શોમાં પાછા ફરશે. તમને જણાવી દઈએ કે માત્ર ફેન્સ જ નહીં પરંતુ શોના મેકર્સ પણ ઈચ્છે છે કે દિશા વાકાણી દયા બેન બની શોમાં પરત આવે.

શૈલેશ લોઢાએ પણ છોડ્યો શો

તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન ઘણા મોટા પાત્રોએ શો છોડી દીધો છે. તાજેતરમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો છે અને તેમને રિપ્લેસ કરવામાં આવ્યા છે. શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે ફેન્સ બિલકુલ ખુશ નથી. હવે આ બધું જોઈને મેકર્સે દિશા વાકાણીને શોમાં લાવવાનો નિર્ણય કર્યો છે. હમ સબકી દયાબેન શોમાં ક્યારે વાપસી કરશે તે જોવાનું રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X