આટલા માટે અલગ થયા દીયા મિર્ઝા-સાહિલ, બંનેના જીવનમાં આવી ગયુ છે કોઈ ખાસ?
ડીએનએના એક રિપોર્ટની માનીએ તો દીયા-સાહિલના છૂટાછેડાનું કારણ છે સાહિલ અને કનિકાના સંબંધો.
હાલમાં જ દીયા મિર્ઝા અને સાહિલ સંઘાના અલગ થવાના સમાચારોએ સૌનુ દિલ તોડી દીધુ. બંને 11 વર્ષથી લગ્નજીવનમાં હતા પરંતુ તેમના અલગ થતા જ બીજા એક કપલે અલગ થવાના સમાચારો સાર્વજનિક કરી દીધા. આ કપલ છે 'જજમેન્ટલ હે ક્યા'ની લેખિકા કનિકા ઢિલ્લન અને ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી. અને આ સમાચારને દીયા-સાહિના છૂટાછેડા સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.
છૂટાછેડાનું કારણ છે સાહિલ અને કનિકાના સંબંધો
ડીએનએના એક રિપોર્ટની માનીએ તો આ છૂટાછેડાનું કારણ છે સાહિલ અને કનિકાના સંબંધો. જો કે પ્રકાશ અને કનિકાએ સ્પષ્ટ કર્યુ કે તે આજથી નહિ પરંતુ બે વર્ષ પહેલાથી અલગ થઈ ચૂક્યા છે. પ્રકાશનો આખો પરિવાર અને દોસ્ત હૈદરાબાદમાં છે જ્યારે કનિકા તેમનાથી અલગ થઈને બે વર્ષ પહેલા મુંબઈ શિફ્ટ થઈ ચૂકી હતી.
કાફિર નામની એક વેબ સીરિઝમાં દીયા
એવામાં જે બે લોકો, બે વર્ષથી અલગ રહી રહ્યા છે તે આ રીતે અચાનક પોતાના અલગાવ વિશે બહાર આવ્યા કારણકે કનિકા અને સાહિલના સંબંધો મીડિયામાં ખોટી રીતે છવાઈ શકતા હતા. વળી, દીયા મિર્ઝા હાલમાં જ કાફિર નામની એક વેબ સીરિઝમાં જોવા મળી હતી.
આ પણ વાંચોઃ દીયા મિર્ઝાના તૂટ્યા લગ્ન, 11 વર્ષ બાદ પતિ સાહિલ સંઘાથી થઈ અલગ
મોહિત રૈનાની નજીક
આ સીરિઝમાં દીયા મિર્ઝાના તેમના કો સ્ટાર મોહિત રૈના સાથે નજીક આવવાના સમાચાર હતા. મોહિત રૈના આ પહેલા મૌની રૉયને ડેટ કરી રહ્યા હતા. પરંતુ મૌની રૉયે બ્રહ્માસ્ત્ર સાઈન કરી અને તેની અયાન મુખર્જી સાથે ખાસ દોસ્તીના સમાચારો મીડિયામાં આવી ગયા.