Birthday Special : વાંચો દિલીપ-સાયરાની લવ-સ્ટોરી
મુંબઈ, 11 ડિસેમ્બર : આજે ભારતીય સિનેમાના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો જન્મ દિવસ છે. ફિલ્મી સિતારાઓના આઇકૉન દિલીપ કુમાર આજે 91 વર્ષના થઈ ગયાં છે અને તેમની સાથે છેલ્લા 46 વર્ષોથી અર્ધાંગિનીનું સફળ જીવન વિતાવનાર સાયરાબાનુએ એક વખત પોતાના જીવન સાથે જોડાયેલ કેટલાંક રહસ્યોનો ખુલાસો કર્યો હતો.
સાયરાએ જણાવ્યું હતુ કે તેઓ જ્યારે માત્ર 12 વરસના હતાં, ત્યારે જ તેમને દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. બેહિસાબ પ્રેમના દૃષ્ટાંત સાયરા-દિલીપને સામાન્ય રીતે દરેક ઇવેન્ટમાં સાથે-સાથે જોવામાં આવે છે. એટલુ જ નહીં, તાજેતરમાં જ્યારે દિલીપ કુમાર બીમાર પડ્યા હતાં, ત્યારે સાયરાબાનુ સતત 24 કલાક ખડેપગે તેમની સાથે રહ્યા હતાં. બૉલીવુડની આદર્શ જોડી ગણાતી દિલીપ-સાયરા આજે પણ એક દૃષ્ટાંત સમાન છે. દિલીપ કુમાર આઈસીયૂમાં દાખલ થયા હતાં અને આખા દેશે તેમના માટે દુઆઓ કરી હતી.
વીતેલા જમાનાના સુંદર તેમજ કામણગારી અભિનેત્રીઓમાંના એક સાયરાબાનુ કે જેઓ હાલ 69 વરસના છે તેમણે જ્યારે દિલીપ સાથે લગ્ન કર્યા હતાં, તો લોકોએ એલાન કર્યુ હતું કે ઉંમરના આ ભારે તફાવત ધરાવતાં લગ્ન લાંબા ટકી નહીં શકે, પરંતુ સાયરાએ તમામ ભવિષ્યવાણીઓ ખોટી પાડી દીધી. સાયરાની નજરે દિલીપ રીયલ હીરો છે કે જેઓ ખૂબ લવિંગ અને કૅરિંગ છે.
આવો આપને તસવીરોમાં બતાવીએ સાયરા-દિલીપની કેટલીક યાદગાર ફિલ્મો અને પળો.

બારની વયે પ્રેમ
સાયરાબનુને માત્ર 12 વરસની ઉંમરે દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો.

91ના થયાં દિલીપ
ફિલ્મી સિતારાઓના આઇકૉન દિલીપ કુમાર આજે 91 વર્ષના થઈ ગયાં છે.

હમ સાથ-સાથ
સાયરા-દિલીપને સામાન્ય રીતે કોઈ પણ ઇવેન્ટમાં સાથે જ જોવામાં આવે છે.

બે વર્ષ અગાઉ ઉજવણી
દિલીપનો 89મો જન્મ દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ વખતે એક નાનકડી પાર્ટી રાખવામાં આવી છે.

ગત વર્ષે શોક
જોકે ગત વર્ષ 90મો જન્મ દિવસ દિલીપ કુમારે નહોતો ઉજવ્યો, કારણ કે તેમના ખાસ સાથીઓ રાજેશ ખન્ના, યશ ચોપરા અને દારા સિંહનું નિધન થઈ ગયુ હતું.

બેસ્ટ કપલ
બૉલીવુડના બેસ્ટ કપલ છે દિલીપ-સાયરા. સાયરા-દિલીપે અનેક યાદગાર ફિલ્મો કરી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
