ડ્રગ્સ કેસ: હાઇકોર્ટની શરતનું પાલન કરી એનસીબીની ઓફીસમાં હાજર થયા આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. બે દિવસ બાદ એટલે કે 30 ઓક્ટોબરે તે પોતાના ઘરે આવ્યો હતો. હાઇકોર્ટની શરતો અનુસાર આર્યન ખાને દર શુક્રવારે બપોરે 11થી 2ની વચ્ચે NCB (નાર્
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. બે દિવસ બાદ એટલે કે 30 ઓક્ટોબરે તે પોતાના ઘરે આવ્યો હતો. હાઇકોર્ટની શરતો અનુસાર આર્યન ખાને દર શુક્રવારે બપોરે 11થી 2ની વચ્ચે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં હાજરી પૂરાવી પડશે.

હાઇકોર્ટના આદેશનું પાલન કરીને આર્યન NCBની ઓફિસ આવ્યો હતો. આર્યન ખાન પિતા શાહરુખની રેન્જ રોવરમાં બેસીને આવ્યો હતો. NCBની ઓફિસમાં તેના વકીલ સતીશ માનશિંદે હાજર રહ્યા હતા. જામીન મળ્યા બાદ આર્યન ખાન પહેલી જ વાર NCBની ઓફિસમાં હાજરી પૂરાવવા આવ્યો હતો.
2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)એ અટકાયત કરી હતી અને બીજા દિવસે ધરપકડ કરી હતી. 28 દિવસ બાદ આર્યન ખાન 'મન્નત' આવ્યો હતો. આર્યન ખાન ઘરે આવતા જ મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકોએ ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કર્યું હતું. આર્યન ખાન ઘરે આવવાનો હોવાથી શાહરુખ-ગૌરીના સંબંધીઓ પણ મન્નત આવ્યા હતા.
ચર્ચા છે કે શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બૉડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બૉડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, એ જ રીતે આર્યનની સાથે બૉડીગાર્ડ રહેશે.
સૂત્રોના મતે, શાહરુખ ખાન આ આખી ઘટનાથી ઘણો જ હચમચી ગયો છે. તે વિચારી રહ્યો છે કે જો આર્યનનો પોતાનો બૉડીગાર્ડ હોત તો કદાચ વાત આટલી વણસી ના હોત. રવિ જે રીતે શાહરુખનું ધ્યાન રાખે છે એ જ રીતે આર્યનનું પણ તે ધ્યાન રાખત, આથી જ શાહરુખ હવે દીકરા માટે જેમ બને તેમ જલદી બોડીગાર્ડ રાખશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
