For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો

આસારામના રેપ કેસમાં દોષી જાહેર થયા પછી સોશ્યલ મીડિયા પર પીએમ મોદી અને આસારામની તસવીરો વાયરલ થઇ. જે પર એક્ટર ફરહાન અખ્તરે ટિપ્પણી કરી છે. જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

જોધપુર કોર્ટે આસારામને 2013માં સગીર યુવતી સાથે બળાત્કાર કરવાના કેસમાં દોષી જાહેર કરીને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામને જેવો જ દોષી જાહેર કરવામાં આવ્યો તેવો જ સોશ્યલ મીડિયામાં આસારામને લઇને જોક્સ અને ટિપ્પણીઓ શેયર થવા લાગી. સોશ્યલ મીડિયામાં જ્યાં મોટા ભાગના લોકોએ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો ત્યાં જ આસારામના સમર્થકોએ તેનો વિરોધ પણ કર્યો. આ વચ્ચે સોશ્યલ મીડિયા પર આસારામ સાથે નરેન્દ્ર મોદીનો એક વીડિયો પણ શેયર થઇ રહ્યો હતો. જેની પર બોલીવૂડ એક્ટર-ડાયરેક્ટ ફરહાન અખ્તરે પોતાની પ્રતિક્રિયા આપી છે. આસારામને દોષી જાહેર કર્યા પછી સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં આસારામને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાડવામાં આવી રહ્યા છે.

farhan

આ તસવીરો પર એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તરે ટિપ્પણી કરી છે. ફરહાને કહ્યું કે આસારામને સજા થઇ તે સારી વાત છે. પણ શું લોકો તેની અને પીએમ મોદીની ફોટો શેર કરવાનું બંધ કરશે. ફરહાને ટ્વિટ કરીને કહ્યું કે તો આસારામ એક ચાઇલ્ડ રેપિસ્ટ છે. અને તેની દોષી જાહેર કરવામાં આવ્યો છે. સરસ, પણ શું લોકો પીએમ મોદી અને તેની તસવીરો શેર કરવાનું બંધ કરશે. આ દોષ સિદ્ધ થવાના પહેલા તેમને સંરક્ષણ આપવું કોઇ અપરાધ નથી. નિષ્પક્ષ રહો અને તેમને સંદેહનો લાભ લેવા દો આપણી જેમ તેમને પણ ખબર નહતી. જો કે ફરહાનના આ ટ્વિટને સોશ્યલ મીડિયામાં હવે વખાણવામાં આવી રહ્યું છે. એક યુઝરે તો તેમ પણ લખ્યું કે કાશ બધા તમારી જેમ લોજીકથી જોતા.

tweet

English summary
Asaram Convicted: Farhan Akhtar Tweet On Asaram Is Gaining Appreciation On Social Media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X