Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : મનીષ-મમતા દુઃખી, બૉલીવુડ પણ શોકમગ્ન

કોલકાતા, 30 મે : આજે સિનેમા જગતનો અમૂલ્ય સિતારો ઋતુપર્ણો ઘોષ અકાળે બુઝાઈ ગયો. તેના જવાથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. કોઇને પણ વિશ્વાસ નથી થતો કે અભૂતપૂર્વ પ્રતિભાના માલિક ઋતુપર્ણો ઘોષ માત્ર 49 વર્ષની વયે જ આમ દુનિયા છોડી જતાં રહેશે. તેમની અકાળે વિદાય અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ દુઃખ વ્યક્ત કર્યો છે, તો બૉલીવુડે પણ ઋતુપર્ણોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિ છે.

આપને જણાવી દઇએ કે જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષનું આજે સવારે સાડા સાત વાગ્યે કોલકાતામાં હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. તેઓ માત્ર 49 વરસના હતાં અને પૅંક્રિયાસની બીમારીથી લાંબા સમયથી પીડાતા હતાં. બંગાળી સહિત હિન્દી ફિલ્મોમાં પણ અભૂતપૂર્વ ફાળો આપનાર ઋતુપર્ણો ઘોષ લીક સે હટકે ફિલ્મ બનાવનાર દિગ્દર્શક તરીકે જાણીતા હતાં.

આવો તસવીરો સાથે જોઇએ ઋતુપર્ણોના નિધન અંગે કોણે શું કહ્યું?

મનીષ તિવારી

મનીષ તિવારી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે ઋતુપર્ણો ઘોષના નિધનથી સર્જનાત્મકતાને ભારે ક્ષતિ પહોંચી છે. તેમણે ઘોષને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

મમતા બૅનર્જી

મમતા બૅનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જી ઘોષના મૃત્યુના સમાચાર સાંભલી તેમના ઘરે પહોંચ્યાં. તેમણે જણાવ્યું કે ઋતુપર્ણોની સરખામણી માત્ર તેમની પોતાની સાથે જ કરી શકાય છે.

દીપ્તિ નવલ

દીપ્તિ નવલ

મેમોરીઝ ઇન માર્ચ ફિલ્મમાં ઘોષ સાથે કામ કરનાર અભિનેત્રી દીપ્તિ નવલે જણાવ્યું - મને ખબર હતી કે તેઓ બીમાર છે, પણ મને જાણવા મળ્યુ હતું કે બધુ ઠીક છે. મારા માટે તેમના મોતના સમાચાર એકદમ ચોંકાવનારા છે.

રાયમા સેન

રાયમા સેન

અભિનેત્રી રાયમા સેન પણ ઘોષના અકાળે અવસાનથી સ્તબ્ધ અને દુઃખી છે. ચોખેર બાલીમાં તેમની સાથે કામ કરના રાયમાએ જણાવ્યું - આ સમાચાર સમગ્ર ફિલ્મ જગત માટે ચોંકાવનારા સમાચાર છે. ખાસ તો બંગલા સિનેમા જગત માટે દુઃખદ ઘટના છે.

સુજોય ઘોષ

સુજોય ઘોષ

દિગ્દર્શક સુજોય ઘોષે જણાવ્યું - હાલ હું કંઈ પણ કહી શકું એમ નથી. હું તત્કાળ કોલકાતા જઈ રહ્યો છું.

અજય દેવગણ

અજય દેવગણ

રેનકોટમાં ઘોષ સાથે કામ કરનાર અજય દેવગણે ટ્વિટ કર્યું - ઘોષના મોતથી સ્તબ્ધ છું. મેં તેમની સાથે રેનકોટમાં કામ કર્યુ હતું. દરેક વસ્તુને જોવાનો તેમનો અભિગમ સૌથી જુદો હતો.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

અર્જુન રામપાલે લખ્યું - આ દુઃખદ સમાચારે આપણા સૌને સ્તબ્ધ કરી નાંખ્યાં છે. તેઓ મારા મિત્ર સમાન હતાં અને મને તેમણે ઘણું શિખવાડ્યું.

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા

દિવ્યા દત્તાએ લખ્યું - ઋતુદાના મોતનો દુઃખ છે. તેમના આત્માને શાંતિ મળે.

પાઓલી ડૅમ

પાઓલી ડૅમ

પાઓલી ડૅમ તો આ સમાચાર સાંભળી ચોંકી જ ગયાં. તેઓ ઘોષના ઘરે પહોંચી ગયાં. ઘોષ સાથે કામ કરી ચુકેલાં બંગાળી અભિનેત્રી પાઓલીએ જણાવ્યું કે તેમનું આમ જતું રહેવું ફિલ્મ જગત માટે મોટી હાનિ છે.

મીરા નાયર

મીરા નાયર

મીરા નાયરે લખ્યું - એક મહાન તેમજ ચબરાક ફિલ્મકારનું આટલી ઓછી વયે ચાલ્યુ જવું દુઃખજનક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X