Pics : ઘનચક્કરમાં વિદ્યાએ પહેરેલાં કપડાંની હરાજી થશે
મુંબઈ, 12 માર્ચ : અત્યાર સુધી હૉલવુડ હસ્તીઓ માટે સાંભળવામાં આવતુ હતું કે તેમની ફિલ્મમાં પહેરેલાં તેમના કપડાંની હરાજી થાય છે અને લોકો તે કપડાં કરોડો રુપિયા ચૂકવી ખરીદે છે, પરંતુ આ બધું હવે બૉલીવુડમાં પણ થવા લાગ્યું છે.
બૉલીવુડમાં કોઈ ફિલ્મમાં પહેરેલાં કપડાંની હરાજી શરૂ કરવાનો શ્રેય જાય છે અભિનેત્રી સન્ની લિયોનના ખાતે કે જેમણે જિસ્મ 2 ફિલ્મના પ્રમોશન માટે પોતાની લિંગરીની હરાજી કરવાની વાત કહી હતી, પરંતુ હવે ડર્ટી વિદ્યા બાલન પણ પોતાના કપડાંની હરાજી કરવાનાં છે.
નહીં નહીં... વિદ્યા બાલન ધ ડર્ટી પિક્ચર ફિલ્મના કપડાંની હરાજી નથી કરવાનાં. તેઓ પોતાની આવનાર ફિલ્મ ઘનચક્કરમાં જે કપડાં પહેરશે, તેની હરાજી કરવાનાં છે. ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ પોતાની ફિલ્મના પ્રમોશનની જોરદાર યુક્તિ શોધી કાઢી છે.
ગુપ્તાએ જણાવ્યું કે તેઓ અને ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર બંને મળી વિદ્યા દ્વારા ઘનચક્કર ફિલ્મમાં પહેરવામાં આવનાર કપડાંનું પ્રદર્શન યોજશે. ફિલ્મમાં વિદ્યા સાથે ઇમરાન હાશમી છે. સિદ્ધાર્થ સાથે લગ્ન બાદ વિદ્યાની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મની નિર્માતા યૂટીવી મોશન કમ્પની છે કે જેના માલિક સિદ્ધાર્થ રૉય કપૂર છે કે જેઓ વિદ્યાનાપતિ છે. જોઇએ પોતાના પત્નીના કપડાંની હાજીથી એસઆરકે અને ઘનચક્કરને કેટલો ફાયદો થાય છે?
આવો આપને બતાવી ઘનચક્કરની તસવીરો કે જેથી આપને વિદ્યાના કપડાંની આછેરી ઝલક મળે.
વિદ્યાના કપડાંની હરાજી થશે
ઘનચક્કર રાજકુમાર ગુપ્તાની ફિલ્મ છે. તેમાં ઇમરાન હાશમી અને વિદ્યા બાલન લીડ રોલમાં છે.
વિદ્યાના કપડાંની હરાજી થશે
કઈ વાતને લઈને ઘનચક્કર થયાં છે ઇમરાન?
વિદ્યાના કપડાંની હરાજી થશે
રેલવે સ્ટેશને શેની શોધમાં નિકળ્યાં ઇમરાન?
વિદ્યાના કપડાંની હરાજી થશે
જેને વિદ્યા બાલનના કપડાં ખરીદવાં હોય, તેણે ખાસ જોઈ લેવું કે વિદ્યાએ કયા કપડાં પહેર્યાં છે ઘનચક્કર ફિલ્મમાં.
વિદ્યાના કપડાંની હરાજી થશે
વિદ્યાના આ કપડાં સાચે જ આકર્ષક છે. ફિલ્મ બાદ તેમના આવાં કપડાં ખરીદવા ફૅન્સ ઉમળકો બતાવશે, એ નક્કી છે.