દર્શકોને ખુશ રાખવાનો જ મુખ્ય ધ્યેય : ગિરીશ કુમાર
મુંબઈ, 27 મે : પ્રભુ દેવા દિગ્દર્શિત રમૈયા વસ્તાવૈયા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહેલાં અભિનેતા ગિરીશ કુમાર દર્શકોને ખુશ રાખવામાં વિશ્વાસ ધરાવે છે કે જે તેમના કૅરિયરને યોગ્ય દિશામાં લઈ જશે.
ગિરીશ કુમારે જણાવ્યું - મારી તમામ ઊર્જા તેમાં જ રોકાઈ છે. ભવિષ્યમાં હું જે કંઈ કરીશ, તેમાં મારો ઇરાદો સારા કામનો અને દર્શકોને ખુશ રાખવાનો જ હશે. દર્શકો આખરે રાજા છે અને જો તેઓ મારા પ્રત્યે કૃતાર્થ થશે, તો તેઓ જ મને આગળ લઈ જશે.
નિર્માતા રમેશ તૌરાનીના પુત્ર ગિરીશ કુમાર કહે છે કે તે મહત્વનું નથી કે તમે કઈ ફૅમિલીમાંથી આવો છો. જો આપ કુશળ હશો, તો અહીં ટકી શકશો. હૃતિક રોશન નિર્માતાના પુત્ર છે અને આમિર ખાન પણ નિર્માતાના પુત્ર છે. છતાં તેઓ પોતાના ટૅલેંટ દ્વારા જ સફળ થઈ શક્યાં. જો દર્શકો તેમને પસંદ કરે, તો જ તમે આગળ વધી શકો. તેમણે જણાવ્યું કે શાહરુખ ખાન પાસે કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ નહોતો અને તેઓ આજે બૉલીવુડ સુપર સ્ટાર છે.
ગિરીશ કમારની પ્રથમ બૉલીવુડ ફિલ્મ રમૈયા વસ્તાવૈયા આગામી 19મી જુલાઈએ રિલીઝ થવાની છે કે જેમાં તેમના હીરોઇન શ્રુતિ હસન છે.