પોતાની અંદર જ છે ભગવાન
મુંબઈ, 28 સપ્ટેમ્બર : જગતમાં ભગવાનના અસ્તિત્વ મુદ્દે અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને તે બધી ફિલ્મો લોકોએ ઘણી પસંદ પણકરી છે, પરંતુ આ વખતે અક્ષય કુમારે જે રીતે ગૉડને ફિલ્મની મુખ્ય થીમ બનાવી બધા પાત્રોને વણ્યાં છે અને કૉમેડીનો તડકો લગાવ્યો છે, તે જોતાં દરેકના મોંમાંથી સરી પડશે ઓહ માય ગૉડ!

ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત ઓહ માય ગૉડ (ઓએમજી) પ્રસિદ્ધ ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી પર આધારિત છે. આ સમગ્ર ફિલ્મ એક કૉમેડી ડ્રામા છે કે જે લોકોને એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓએ ભગવાનને પ્રેમ કરવો જોઇએ. ફિલ્મનો સંદેશ છે કે ભગવાન કોઈ મૂર્તિ કે તસવીરમાં નથી, પણ ભગવાન આપણી ભીતરમાં જ છે. કહેવાનો મતલબ એ છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે. જે માણસ સાચા હૃદયે ભગવાનને માને છે, ભગવાન તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ભાવેશ માંડલિયાએ લખી છે.
વાર્તા - ઓહ માય ગૉડની વાર્તાની રૂપરેખા કાનજીભાઈ ઉપર તૈયાર કરાઈ છે કે જે એક એંટિક શૉપનો માલિક હોય છે. તેને માટે ભગવાન અને ધર્મનો કોઈ મતલબ નથી. તે જૂની દેખાતી ભગવાનની મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ ખરીદે છે અને તેને એંટિક પીસ બતાવી બમણા ભાવે વેચે છે. ગૉડ તેના માટે સૌથી વધુ પૈસા લાવનાર સાધન છે.
એક દિવસ શહેરમાં ભૂકમ્પ આવે છે અને ઘણાં મકાનો-દુકાનો સાથે કાનજીભાઈની દુકાન પણ તુટી જાય છે. જ્યારે ઇંશ્યોરેંસ કમ્પની કાનજીભાઈની દુકાન ધરાશાયી થતા થયેલ નુકસાનનું વળતર આપવાનો ઇનકાર કરી દે છે. કાનજીભાઈ ગૉડને પોતાના નુકસાન માટે જવાબદાર ઠેરવી તેની વિરુ્દ્ધ કેસ કરી દે છે. તે બધા મોટા પુજારીઓને પણ કાનૂની નોટિસ પાઠવે છે. પછી શું થાય છે અને કાનજીભાઈનો વિશ્વાસ કઈ રીતે ભગવાન પ્રત્યે પરત ફરે છે? એ જાણવા જોવી પડશે ઓહ માય ગૉડ.
ફિલ્મમાં પરેશ રાવલે કાનજીભાઈનું અને અક્ષય કુમારે કૃષ્ણા વાસુદેવ એટલે કે ગૉડનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત સોનાક્ષી સિન્હા, મિથુન ચક્રવર્તી, પૂનમ ઝાવેર, ગોવિંદ નામદેવ, મહેશ માંજરેકર, નિધિ સુબ્બાહ અને મુરલી શર્મા પણ સપોર્ટિંગ રોલમાં છે. સાથે-સાથે સોનાક્ષી સિન્હાએ પણ ફિલ્મમાં એક આઇટમ પરફૉર્મન્સ આપ્યું છે.
અભિનય - અક્ષય અને પરેશ રાવલની જોડી સૌપ્રથમ હેરાફેરી સિરીઝમાં પોતાનો જાદુ ચલાવી ચુકી છે. આ વખતે પણ બંનેની જોડી બૉક્સ ઑફિસે ધમાલ મચાવનાર છે. અક્ષય આ વખતે કમ્પ્લીટ સરપ્રાઇઝ પેકેજ તરીકે નજરે પડશે. ભગવાનના પાત્રમાં અક્ષયે જોરદાર કૉમેડી કરી છે. બીજી બાજુ પરેશ રાવલ કે જે શ્રેષ્ઠ કૉમેડિયન છે તેમણે પણ કાનજીભાઈ બની બહુ હસાવ્યા છે. તેમના સંવાદો અને ભાવો દરેક સીનમાં બહેતરીન છે.
વિવાદ - એમ તો ઓહ માય ગૉડ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ગંભીર વિવાદ સામે નથી આવ્યો, પરંતુ આમ છતાં તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કે કોઈકે ઓએમજી વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો છે, જેમાં જણાવાયું છે કે આ ફિલ્મમાં ભગવાનના નામે મજાક કરવામાં આવી છે અને ભારતીયોની લાગણીઓને દુભાવવામાં આવી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
