ચંપક ચાચા એ Taarak Mehta Ka Ooltah Chashmah માંથી લીધો બ્રેક, જાણો શું છે કારણ?
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલટા ચશ્મા ગત 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જેના દરેક પાત્ર લોકોમાં લોકપ્રિય છે. આ શોના ઘણા પાત્રો શો છોડી ચુક્યા છે. તો ઘણા પાત્રો રિપ્લેસ થઇ ગયા છે.
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલટા ચશ્મા ગત 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જેના દરેક પાત્ર લોકોમાં લોકપ્રિય છે. આ શોના ઘણા પાત્રો શો છોડી ચુક્યા છે. તો ઘણા પાત્રો રિપ્લેસ થઇ ગયા છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અમિત ભટ્ટ એટલે કે ચંપક ચાચાએ શોમાંથી બ્રેક લીધો છે.
ચાહકોને કર્યા નિરાશ
હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, તારક મહેતા ઉલટા ચશ્માના જેઠાલાલના બાપુજી ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે શૂટિંગમાંથી બ્રેક લીધો છે. ચંપક ચાચાના શોમાંથી બ્રેક લેવાના સમાચારને કારણે તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.
ચંપક ચાચાએ શા માટે બ્રેક લીધો?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ થોડા દિવસો પહેલા શોના શૂટિંગ દરમિયાન સેટ પર ખરાબ રીતેઘાયલ થયા હતા.
રિપોર્ટ્સ અનુસાર, ડૉક્ટર્સે ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટને બેડ રેસ્ટની સલાહ આપી છે. જેમાં તેમણે થોડા દિવસશૂટિંગમાંથી રજા લેવી પડશે. આવી સ્થિતિમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો થોડા સમય માટે ચંપક ચાચાને સ્ક્રીન પર જોઈ શકશેનહીં.
નિર્માતાઓ સાથે વિવાદની અફવાઓ
નિર્માતાઓ સાથેના ઝઘડાને કારણે, ભૂતકાળમાં કેટલાક કલાકારોએ શોને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં જો કોઈ પાત્ર પડદા પરન દેખાય તો લોકોને એવું લાગવા લાગે છે કે, તે અભિનેતાએ પણ શો છોડી દીધો છે.
આ જ કારણ છે કે, ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ સ્ક્રીન પર ન દેખાયા બાદ પણ લોકોને એવું લાગવા લાગ્યું કે, તેમણે પણ મેકર્સ સાથે વિવાદ કર્યો છે, પરંતુ એવું નથી, ડૉક્ટર્સે અમિત ભટ્ટને બેડ રેસ્ટની સલાહ આપી છે, તેથી તે શૂટિંગથી દૂર છે.