'લાલ સિંહ ચડ્ડા'ના બોયકોટને લઇને કરીનાએ નારગાજગી વ્યક્ત કરી
બોલિવુડ બેબો તરીકે જાણીતી કરીના કપુર પોતાની આવનરા ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઇને ચર્ચામાં છે. કરીના કપુરથી નારાજ ફેન્સ દ્વારા તેની ફિલ્મને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય સોશિયલ મીડિયામાં કોઇ ને કોઇ કારણના લીધે ચર્
બોલિવુડ બેબો તરીકે જાણીતી કરીના કપુર પોતાની આવનરા ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઇને ચર્ચામાં છે. કરીના કપુરથી નારાજ ફેન્સ દ્વારા તેની ફિલ્મને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય સોશિયલ મીડિયામાં કોઇ ને કોઇ કારણના લીધે ચર્ચામાં રહે છે. કરીનાએ આ મામલે બોલતા જણાવ્યું છે કે, તે કેમ ટ્વીટર પર નથી.
ટ્વીટરથી કેમ દુર છે કરીના ?
કરીના કપુર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પરના નિવેદને લઇને તો ક્યારેક લુક્સ અને નેટિજેન્સના નિશાના પર હોય છે. કરીનાની આવનાર ફિલ્મ લાલસિંહ ચડ્ડાને લઇને ભારે વિવાદ ચાલી રહ્ય છે. જેના લીધે નેટિજન્સ એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. આના પર કરીના કપુરે ચુપી તોડતા હેટર્સને મુહતોડ જવાબ આપ્યો હતો અને કહ્યું હતુ કે, તે કેમ ટ્વીટરથી દુર રહે છે.
કરીના કપુરે કારણ આપ્યુ
ન્યુઝ 18ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કરીના કપુરે કહ્યું હતુ કે, દરરોજ કોઇને કોઇ એવી ઘટના ઘટે છે જેને લઇને આપણે ટ્રોલ થઇએ છીએ. તેના લીધે હુ ટ્વીટર પર નથી. મને લાગે છે કે, આ લોકો પોતાની ટ્વીટર પર ભડાશ કાઢવા માંગે છે. અને મારી પાસે તેની માટે સમય નથી. હુ મારા પરીવાર,બાળકો અને કામમાં વ્યસ્ત છુ.
લાલ સિંહ ચડ્ડા પર બોલી કરીના
ફિલ્મ ફોરેસ્ટ ગંપ વિશે બોલતા કરીનાએ જણાવ્યું હતુ કે, કોઇ વ્યક્તિ જે અંગ્રેજી ના બોલી શકે તે આ ફિલ્મ જોવા જશે. સ્ટોરી માટેનો તેમનો પ્રેમ છે જે ટ્રેલર લોન્ચ થયા બાદથી જોવા મળે છે. નહી ,કે હોલિવુડ ફિલ્મની રિમેક છે એટલે. ફિલ્મને તેલુગુ ને તમિલમાં પણ ડબ કરવામાં આવી રહ્યુ છે.
ફિલ્મની એડવાન્સ બુકિગ શરુ થઇ ગઇ છે.
કરીના કપુર અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડાની રિલીઝ થવામાં બસ એક દિવસનો સમય બાકી છે.એટલે કે સિનેમાઘરોમાં 11 ઓગસ્ટના રોજ રિલિઝ થવાની છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઇને બોયકોટ લગાતાર ટ્રેન્ડ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઇ ચૂકી છે. આંકડા મુજબ અત્યાર સુધીમાં ફિલ્મે 8 કરોડ થી વધારે બિઝનશ કર્યો છે. એટલે આમિર ખાનની મહેનત રંગ લાવી છે.
રક્ષાબંધ અને લાલસિંહ ચડ્ડાની ટક્કર
ફિલ્મ લાલસિંહ ચડ્ડા આમિર ખાન અને કરીના કપુર લીડ રોલમાં જોવા મળી રહી છે. આ સિવાય આમિર ખાનની ફિલ્મને ટક્કર આપવા માટે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મની સ્ટોરી ભાઇ બહેનના સંબધ પર આધારીત છે. બોક્સ ઓફિસ પર કોની ફિલ્મ ભારે પડશે. તે ફિલ્મની રિલિઝ બાદ જ ખબર પડશે.