કપિલના શોમાં થશે મશહુર ગુલાટીની એન્ટ્રી? સુનીલ ગ્રોવરે આપ્યો આવો જવાબ
Kapil Sharma and Sunil Grover Fight : ક્યારેક ડૉક્ટર મશહૂર ગુલાટી તો ક્યારેક ગુથ્થી બનીને લોકોના દિલ પર રાજ કરનારા સુનિલ ગ્રોવર ફેન્સનું દિલ જીતવામાં કોઇ કસર બાકી નથી રાખી. કપિલ શર્મા સાથે તેના ઝગડા બાદ તેણે ધ કપિલ શર્મા શો છોડી દીધો હતો.
વર્ષ 2018માં ફ્લાઇટમાં કપિલ સાથે ઝઘડા બાદ તે ક્યારેય કોમેડી શોમાં પાછો ફર્યો નહીં. ફેન્સ સોશિયલ મીડિયા પર અભિનેતાને વારંવાર વિનંતી કરે છે કે, તે બધું ભૂલીને શોમાં પાછા ફરે, જેના પર સુનીલ ગ્રોવરે આખરે એવો જવાબ આપ્યો, જેનાથી બધા અવાક થઈ જશે.

સુનીલ ગ્રોવર હાલમાં જ ZEE5ની સિરીઝ યુનાઈટેડમાં જોવા મળ્યો હતો. આ સિરીઝ 31 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. કોમેડિયને પોતાની આવનારી સિરીઝ વિશે તો વાત જ કરી, પરંતુ આ સાથે સુનીલ ગ્રોવરે કપિલ સાથે કામ કરવા અંગે પૂછવામાં આવેલા સવાલ પર પોતાનું મૌન તોડ્યું હતું.
એક મીડિયા પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આવી કોઈ યોજના નથી. અત્યારે હું પણ મારા કામમાં વ્યસ્ત છું અને કપિલ શર્મા પણ તેના કામમાં વ્યસ્ત છે. મેં નોન-ફિક્શન શોમાં ઘણું કામ કર્યું છે અને તેનો આનંદ પણ લીધો છે, પરંતુ હવે હું ફિક્શન શોનો આનંદ લઈ રહી છું.
સુનીલ ગ્રોવરે પોતાના ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, હાલ મારી કપિલ સાથે કામ કરવાની કોઈ યોજના નથી, કારણ કે અમે બંને વ્યસ્ત છીએ. તમે આ વિશે કપિલને પણ પૂછી શકો છો.
સુનીલ ગ્રોવર અને કપિલ વચ્ચે થયો હતો ઝઘડો
એક સમયે દર્શકો કપિલ શર્મા-સુનીલ ગ્રોવર સ્ટારર શો 'ધ કપિલ શર્મા શો' જોવા માટે દર સપ્તાહના અંતે રાહ જોતા હતા. અહેવાલો અનુસાર, વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરીને ભારત પરત ફરી રહેલા કપિલ શર્માએ ગુસ્સામાં મશહુર ગુલાટીને થપ્પડ મારી દીધી હતી.
જે બાદ અચાનક સુનીલ ગ્રોવરે શોને અલવિદા કહી દીધું હતું. આનાથી તેના ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. જોકે, સમયની સાથે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ કોમેડી શોમાં ક્યારેય પરત ફર્યા નહીં. કપિલ સાથેની લડાઈ બાદ માત્ર સુનીલ ગ્રોવર જ નહીં, પરંતુ 'નાની' અલી અસગરે પણ શોને અલવિદા કહી દીધું હતું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
