Prabhas Wedding : આદિપુરુષનું ટ્રેલર લોન્ચ, પ્રભાસ જણાવ્યું ક્યાં કરશે લગ્ન
Prabhas Wedding : બોલીવુડ અને સાઉથ એક્ટર પ્રભાસ વર્તમાન સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ આદિપુરુષને કારણે સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ પણ જોવા મળશે. મંગળવારના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું હતું.
આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ તિરુપતિમાં યોજાઈ હતી. જ્યાં પ્રભાસ અને કૃતિ સેનન પણ સામેલ થયા હતા. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોનો ઉત્સાહ પહેલા કરતા વધી ગયો છે. આ દરમિયાન અભિનેતાએ પોતાના લગ્ન વિશે એક મોટી વાત કહી છે. તેમણે મીડિયા સમક્ષ કબૂલાત કરી છે કે તે લગ્ન કરશે.

'હું તિરુપતિમાં લગ્ન કરીશ' - ટ્રેલર લોન્ચ દરમિયાન પ્રભાસ ખુશખુશાલ મૂડમાં જોવા મળ્યો હતો અને ફેન્સના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, હું તિરુપતિમાં લગ્ન કરીશ. આ સાંભળીને ફેન્સ તેમના લગ્નને લઈને ઉત્સાહિત થઈ ગયા છે.
દર વર્ષે બે ફિલ્મો કરશે અભિનેતા - આ દરમિયાન પ્રભાસે ફેન્સને વચન પણ આપ્યું હતું કે, તે દર વર્ષે 2 ફિલ્મો ચોક્કસ કરશે અને જો શક્ય હશે, તો તે ત્રીજી ફિલ્મ પણ કરશે. આ વાતને લઈને ત્યાં હાજર ફેન્સ ખૂબ જ ખુશ હતા.
ફિલ્મનું બીજું ટ્રેલર છે શાનદાર - જો ફિલ્મના બીજા ટ્રેલરની વાત કરીએ, તો તે રાવણના કપટથી કરવામાં આવ્યું છે. જાનકી એટલે કે કૃતિ સેનન ભિક્ષા આપવા માટે લક્ષ્મણ રેખાને પાર કરે છે અને રાવણ તેનું અપહરણ કરે છે. રાઘવ એટલે કે, પ્રભાસ રાવણના અન્યાયનું માથું કચડી નાખવા માટે તેનું યુદ્ધ શરૂ કરે છે. રાઘવ તેની વાનર સેના સાથે રાવણની લંકાને આગ લગાડવા આગળ વધે છે.
તિરુમાલા મંદિર પહોંચ્યો હતો પ્રભાસ - ઈવેન્ટ પહેલા પ્રભાસ તિરુમાલા પહોંચી ગયો હતો. આ દરમિયાન અભિનેતા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યો હતો. તેમણે મંદિરની મુલાકાત લેવા માટે સફેદ લુંગી અને શર્ટ પહેર્યો હતો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેના ચાહકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.
આદિપુરુષ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે - ઉલ્લેખનીય છે કે, આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
