દીદી પ્રિયંકા અને જીજા નીકના વિદેશ પરત ફરતા પહેલા પરિણીતી-રાઘવ કરશે સગાઇ આવી આ ગુડ ન્યુઝ
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાસંદ રાઘવ ચડ્ઢા અને અભિનેત્રી પરિણીતિ ચોપડાને જ્યારથી એક સાથે જોવા મળ્યા છે ત્યારથી તેમના લગ્નની ચર્ચાએ જોર પકડ્યુ છે. ઘણા મીડિયા રિપર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, રાઘવ અને પરિણીતિ એપ્રિલના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં સગાઇ કરી શકેછે. જેમા ફક્ત તેમના ખાસ આમંત્રિત મહેમાનોને બલાવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ પહેલાજ નવી દિલ્હી પહોચી ચૂકી છે. સૂત્રોએ પણ શેયર કર્યુ હતુ કે, સમારોહમાં પ્રિયંકા ચોપડા જનાસ નિક જોનાસ અને મિરા ચોપડા પણ આવશે. તેમજ નજીકના સંબંધી સાથે મિત્રોનો તેમા સમાવશ કરવામા આવશે.
રાઘવ અને પરિણીતિ વચ્ચે ડેટિગની અફવાહ ગયા અઠવાડીયે શરુ થઇ હતી. જ્યારે બંને લંડન અને ત્યાર બાદ મુંબઇમાં એક સાથે જોવા મળ્યા હતા. આ કપલ મુબઇ અને દિલ્હીના એરપોર્ટ હમેશા સાથે જોવા મળ્યુ છે.
રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા એક બીજાને યુકે યૂનિવર્સિટીના દિવસોથી ઓળખે છે. બને વર્ષોથી સારા દોસ્ત છે. તેમણે હજી સુધી તેમણે પોતાના સંબંધો અને લગ્નની અફવાહ વિશે કોઇ જ પુષ્ટી કે ખંડન નથી કર્યુ.
તેમના લગ્નની વાત સામે આવી રહી છે. કોઇ મોટા સ્ટાર દ્વારા તેમના લગ્નની વાત પર મુહર પણ વાગી ચૂકી છે. જો કે, એ વાત અલગ છે કે, રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ આ અંગે કઇ જ અધિકારીક જાણકારી આપી નથી.












Click it and Unblock the Notifications
