સુશાંત સહિ રાજપુતના ફ્લેટને મળ્યા નવા ભાડૂઆત, નિધન બાદ ખાલી હતો ફ્લેટ
સુશાંત સિહ રાજપુતના મોત બાદ તે જે ઘરમાં રહેતો હતો તેને કોઇ ભાડે લેવા માટે તૈયાર નહોતુ પરંતુ બ્રોકર દ્વારા જણાવામાં આવ્યુ છે કે, હવે તેને લેવા માટે એક પરીવર આગળ આવ્યો છે.
સુશાંત સિંહ રાજપુતના નિધનના અઢી વર્ષ કરતા વધારે સમય વિતિ ચૂક્યો છે. પરંતુ તેમના ફેન્સ હજી પણ તેના જવાન દુખમાથી ઉભરી નથી શક્યા. સોશિયલ મીડિયાપર તેના માટે ટ્રેન્ડ ચાલતા હોય છે, સુશાંત સિંહ રાજપુત મુંબઇમાં ભાડાના જે મકાનમાં રહેતો હતો. આ ફ્લેટને હવે આખરે ત્રણ વર્ષ બાદ ભાડૂઆત મળી ચૂક્યા છે.

હકીકતમાં આ ફ્લેટના ઓનર એનઆરઆઇ છે અને હવે ત્રણ વર્ષ બાદ કોઇ ભાડુઆત ફ્લેટમાં રહેવા માટે તૈાયર થયા છે.બ્રોકર રફીકે જણાવ્યુ હતુ કે, તેની પાસે ઘર જોવા આવનાર લોકો ઘણા સવાલ પુછતા હતા. પરંતુ આખરે હવે તે ફ્લેટ માટે ભાડૂઆત મળી ચૂક્યો છે. રફીતએ ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ભાડુઆતની સાથે વાત કરવા માટે પ્રક્રિયા તેના આખરી ચરણોમાં છે. તમામ વસ્તુને ફાઇલન કરી દેવામા આવશે. અે લોકો પણ હવે શુસાતના મામલાને લઇને શાંત છે. જાણવા મળી રહ્યુ છએ કે, પરીવાર હવે ફ્લેટમાં શિફ્ટ જવા જઇ રહ્યો છે..
કોઇ લેવા માટે તૈયાર નહોતુ
જણાવી દઇએ કે, પહેલા રફીકે જાણકારી આપી હતી કે, આ ફેલેટને કોઇ ખરીદવા માટે તૈયાર નહોતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ઘરના માલિક કોઇ સેલિબ્રિટીને પોતાનો ફ્લેટ ભાડે આપવા માંગતા નથી. પછી ભલે તે કેટલો પણ મોટો કેમ ના હોય. મોટા ભાગના ફ્લેટ શોધનારને જણાવી દેવામાં આવ્યુ હતુ કે, ફ્લેટમાં એક્ટરનું નિધન થયુ હતુ. જેથી મોટા ભાગના લોકો તને લેવાની ના પાડી દે છે. તો ઘરના માલિક ભજાર ભાવથી ઓછી કિમતે ભાડે આપવા નથી માંગતા.
4.5 લાખ ભાડુ આપતો હતો સુંશાત
સુશાંત સિહ રાજપુત આ ફ્લેટ 2019 માં ભાડાથી લીધો હતો. તેણએ 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડુ ચૂકવતો હતો. આ ફ્લેટમાં તેની સાથે રૂમ મેટ પણ રહેતા હતા. રિપોર્ટ અનુસાર તેની ગર્ડફ્રેન્ડ રિયા પણ તેની સાથે રહેતી હતી.
2020 માં થયુ સુશાંત સિહનું નિધન
સુશઆંત સિહ રાજપુતનુ નિધન 14 જૂન 2020 ના રોજ સુશાંત સિહ રાજપુતનું નિધન થયુ હતુ. શરુઆતના તપાસમાં આત્મહત્યાનો ગણાવામાં આવી હતી ત્યાર બાદ તને સીબીઆઇને સોપી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
