કેજરીવાલના નોટ પર ફોટો વિવાદમાં કુદ્યા આ સેલિબ્રિટી, કહી આ વાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નોટ પર ફોટો વાળા નિવેદન પર હોબાળો મચ્યો છે. આ સાથે હવે રાજકીય નેતાઓ સાથે સાથે બોલીવુડના સેલિબ્રિટી પણ આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નોટ પર ફોટો વાળા નિવેદન પર હોબાળો મચ્યો છે. આ સાથે હવે રાજકીય નેતાઓ સાથે સાથે બોલીવુડના સેલિબ્રિટી પણ આ નિવેદનની ટીકા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર પાસે ચલણી નોટ પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો ફોટો અંકિત કરવાની માગ કરી હતી.
આ માગ બાદ ફિલ્મજગતની ઘણી હસ્તીઓએ વિરોધ કર્યો હતો. જેમાં ગોહર ખાને તો કેજરીવાલને આડકતરી રીતે કમજોર નેતા પણ કહી દીધા છે.
|
રાજકારણમાં જીતની લાલચ
ગૌહર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, એક નેતા, જેને મેં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાવાળા ધાર્યા હતા, તેઓ રાજકારણમાં જીતવાની રેસનો શિકાર બની ગયો છે. માત્ર સૌથી નબળા પ્રકારના રાજકારણીઓ જ ધર્મનો ઉપયોગ કરે છે. જીતનો લોભ ચૂંટણી તમને ખૂબ જ અલગ બનાવી શકે છે, તે ખૂબ જ ઉદાસી છે. હવે તેમને અનફોલો કરવાનો સમય આવી ગયો છે.
|
બધા હલકી રાજનીતિ જ કરે છે
આવા સમયે ટીવી અભિનેતા નુકલ મહેતાએ પણ અરવિંદ કેજરીવાલના નિવેદન પર રોષ પ્રગટ કર્યો છે. હકીકતમાં અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ ધારાસભ્ય આતિષીએ આવી રહેલી પ્રતિક્રિયાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તમે ઇચ્છો તો અરવિંદ કેજરીવાલને નફરત કરી શકો છો, પરંતુ ઓછામાં ઓછું દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશને નફરત ન કરો. તેના આશીર્વાદને ધિક્કારશો નહીં. નકુલ મહેતાએ આતિષીનો આ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'આખરે આપ પણ હલકી રાજનીતિ પર આવી ગયું'
|
આ રમત હવે દરેક વ્યક્તિ રમશે
AAP તરફથી ચૂંટણી લડનારા ગુલ પનાગે પણ અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, 'ભલે તે પોતાનામાં જ અંત હોય કે પોતાનામાં જ અંત - દરેક વસ્તુમાં ધર્મ લાવવો, તે એક રમત છે, જે હવે દરેક જણ રમશે અને માત્ર રાજકારણીઓ જ નહીં! જેઓ અસહમત છે, તેઓ બંધારણનો ખોટો ઉપયોગ કરી શકે છે.












Click it and Unblock the Notifications
