રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપડાના લગ્નની તારીખ થઇ નક્કી, આ દિવશે લેશે 7 ફેરા
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ પહેલીવાર ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. આના થોડા સમય પછી, 13 મેના રોજ, કપલે સગાઈ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈમાં તમામ બોલિવૂડ સેલેબ્સ અને ઘણા મોટા રાજકીય નેતાઓ સામેલ થયા હતા. સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

હવે ફેન્સ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કપલે હજુ લગ્નની તારીખ જાહેર કરી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આખરે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
પિંકવિલાના સમાચાર મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ કપલ રાજસ્થાનમાં લગ્ન કરશે. તારીખની વાત કરીએ તો પરિણીતી અને રાઘવ આ વર્ષે 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.
આ પ્રસંગમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. જો કે, આ અંગે દંપતી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
આ દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે બંને રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે. તાજેતરમાં, આ કપલ ઉદયપુરની વિવિધ હોટલોમાં જોવા મળ્યું હતું. બંનેના લગ્ન શાહી અંદાજમાં થશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ અને તમામ રાજકીય પક્ષો પણ સામેલ થશે.
પરિણીતી અને રાઘવના લગ્ન બાદ આ કપલ ગુરુગ્રામમાં રિસેપ્શન પાર્ટી આપશે. હાલમાં ચાહકો બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
