વિશ્વરૂપમ : ‘જયલલિતા’ને રિઝવી ન શક્યાં કમલ હસન
ચેન્નઈ, 29 જાન્યુઆરી : બહુમુખી પ્રતિભાના ધની અભિનેતા કલમ હસનની ફિલ્મ વિશ્વરૂપમ રિલીઝ થશે કે કેમ, તે અંગે હજુય સસ્પેંસ જળવાયેલું છે. કહેવાય છે કે સોમવારે કમલ હસને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. એનડીટીવી ન્યુઝ વેબસાઇટ મુજબ ફિલ્મ નિર્માતા કમલ હસનને વિશ્વરૂપમ ફિલ્મમાંથી એક કલાકના કેટલાંક સીન્સ હટાવવા માટે સુચવાયું છે કે જેના માટે કમલ સંમત થયા નથી.

આપને જણાવી દઇએ સોમવારે મદ્રાસ હાઈકોર્ટે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ અંગે નિર્ણય મંગળવાર ઉપર મુલત્વી રાખ્યો હતો, પરંતુ કોર્ટે કમલને જણાવ્યુ હતું કે તેઓ તામિળનાડુ સરકાર સાથે વાતચીત કરી અને વચલો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે, કારણ કે આ બાબત દેશની અખંડિતતા સાથે જોડાયેલી છે નહિંતર ફિલ્મ અંગે કોર્ટ મંગળવારે ચુકાદો આપશે.
નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મ ઉપર સોમવાર સુધીનો પ્રતિબંધ ફરમાવ્યો છે, જ્યારે તામિળનાડુ સરકારે ફિલ્મ ઉપર 15 દિવસ સુધીનો પ્રતિબંધ લાદ્યો છે.












Click it and Unblock the Notifications
