Pics : ‘એકલા મુસાફરી કરવાના શોખે બનાવ્યો એકલવાયો’
મુંબઈ, 14 મે : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર એકલા મુસાફરી કરવાના શોખીન છે અને તેમનું કહેવું છે કે પોતાના આવા શોખને કારણે જ તેઓ એકલવાયા થઈ ગયાં છે.
30 વર્ષીય રણબીરે મેક માય ટ્રિપ તરફથી યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - મને એકલા મુસાફરી કરવી ગમે છે અને તેથી જ કેટલાંક વર્ષોથી હું એકલવાયો બની ગયો છું. મેક માય ટ્રિપ રણબીર કપૂરની આગામી ફિલ્મ યે જવાની હૈ દીવાની માટેની ઑફિસિયલ ટ્રાવેલ પાર્ટનર કમ્પની છે. ફિલ્મમાં રણબીર સાથે દીપિકા પાદુકોણે હીરોઇન છે.
તાજેતરમાં જ વાયજેએચડી ફિલ્મના પ્રમોશન માટે પણ લંડન એકલા ગયેલાં રણબીર કપૂરે જણાવ્યું - મને કોઈ હમસફરની જરૂરિયાત નથી અનુભવાતી. મને જમતી વખતે પણ કોઈના સાથની જરૂર નથી હોતી.
રણબીર કપૂરે મિત્રો સાથે પોતાની પ્રથમ યાત્રાને યાદ કરતાં જણાવ્યું - હું પોતાના મિત્રો સાથે પ્રથમ યાત્રાએ ગોવા ગયો હતો અને ત્યારે મેં દસમાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે ખૂબ સારો અનુભવ હતો, પરંતુ હું પહેલી વાર પોતાના માતા-પિતા વગર પ્રવાસ કરી રહ્યો હતો. તે યાત્રા બાદ મારૂં જીવન જ બદલાઈ ગયું.
આવો જોઇએ તસવીરોમાં વાયજેએચડી-મેક માય ટ્રિપની ભાગીદારી.
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા
રણબીરને વિચિત્ર શોખે બનાવ્યા એકલવાયા