ફિલ્મો ઉપરાંત ‘જહાં ઔર ભી હૈં...’ : કરીના કપૂર
મુંબઈ, 3 જાન્યુઆરી : લાગે છે કે લગ્નની અસર મિસિસ કરીના કપૂર ખાન ઉપર દેખાવા લાગી છે. એટલે તો તેઓ કહેતાં ફરે છે કે ફિલ્મો ઉપરાંત પણ જીવનમાં ઘણું બધું છે કે જેને તેઓ ભરપૂર રીતે જીવે છે અને જીવવા માંગે છે. તેને તેઓ પોતાની ફિલ્મી દુનિયામાં મિક્સ કરવા નથી માંગતાં.
કરીનાએ જણાવ્યું કે બૉલીવુડ બહાર પણ તેમના ઘણાં બધા મિત્રો છે કે જેઓ તેમની ફિલ્મની દુનિયાના મિત્રો કરતાં ખૂબ જુદાં છે. તેમને મળી તેઓ ખૂબ ફ્રેશ અનુભવે છે. કરીનાએ જણાવ્યું કે હું વધારે પડતું કોઈની સાથે સંબંધો ધરાવતી નથી અને નથી કોઈના જીવનમાં દખલ કરૂ છું. તેથી મને પણ મારી લાઇફમાં કોઈની દખલ પસંદ નથી. જોકે કરીનાની આ વાતો સાંભળવામાં જેટલી સારી છે, તેટલી જ યોગ્ય પણ છે.
આજે 12 વરસથી કરીના કપૂર ફિલ્મી દુનિયામાં સક્રિય છે. એક મોટા ખાનદાનના વહુ અને બેગમ ઉપરાંત આજ સુધી કરીનાના વ્યવહાર અંગે કોઈએ ફરિયાદ કરી નથી. તેમનું જો શાહિદ કપૂર સાથે કોઈ ભૂતકાળ હતું, છતાં પણ તેમણે શાહિદ અંગે ક્યારેય જાહેરમાં કોઈ ટીકા-ટિપ્પણી કરી નથી. બંને વચ્ચે ક્યારેય ઝગડાના સમાચારો પણ નથી આવ્યાં અને સૈફ સાથે પૂરા પાંચ વરસ સુધી સંબંધ રાખ્યા છતાં પણ કરીનાએ ક્યારેય સૈફના પરિવારજનો માટે કંઇજ કહ્યું નથી. કદાચ તેનું જ આ પરિણામ છે કે સૈફ અલી ખાનના પૂર્વ લગ્નના બાળકો પણ કરીનાને છોટી માં કહી બોલાવે છે અને સૈફના પુત્રી સારા ખાન કરીનાના ખૂબ મોટા પ્રશંસક છે.