મારા ભાગ્યમાં આ જ હોય, તો હું તૈયાર છું : સંજય
મુંબઈ, 21 માર્ચ : સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બૉલીવુડ અભિનેતા સંજય દત્ત અને તેમના પરિવારમાં નિરાશાની લહેર દોડી ગઈ છે. સંજય દત્તે આ ચુકાદા બાદ પોતાની જાતને મજબૂત કરવાની વાત કહી છે. તેમણે કોર્ટના ફેંસલા બાદ જણાવ્યું છું - હું સ્ટ્રૉંગ છું અને આગળ પણ સ્ટ્રૉંગ જ રહીશ. તેમણે એમ પણ જણાવ્યું - જો મારા ભાગ્યમાં આ જ હોય, તો હું તેના માટે તૈયાર છું.
સ્વાભાવિક છે સંજય દત્ત નિરાશાવાદી નિવેદન આપી પોતાના પરિવારમાં અકળામણ ઊભી કરવા નથી માંગતાં. તેમના બહેન પ્રિયા દત્તા આ ચુકાદો સાંભળી રડી પડ્યા હતાં.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તને પાંચ વરસની સજા ફટકારી છે. સંજય દત્ત અગાઉ ડોઢ વરસની જેલ ભોગવી ચુક્યાં છે. તેથી હવે તેમણે હજી સાડા ત્રણ વરસ જેલમાં વિતાવવા પડશે. તેમણે એક માસમાં જ આત્મસમર્પણ કરવું પડશે. આ ચુકાદાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સોપો પડી ગયો છે.િ