Pics : ‘જો મહોબ્બત પર હોય ભરોસો, તો જરૂર જુઓ રાંઝણા’
જયપુર, 17 જૂન : આગામી 21મી જૂને રિલીઝ થનાર રાંઝણા ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. અભિનેતા ધનુષ તથા અભિનેત્રી સોનમ કપૂર અભિનીત રાંઝણા માટે આખી ફિલ્મની ટીમ પુરતા પ્રયત્નો કરી રહી છે કે જેથી દર્શકોનું ધ્યાન ફિલ્મ પ્રત્યે આકર્ષાય. જયપુરમાં એવા જ એક કાર્યક્રમમાં ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચેલા સોનમ-ધનુષે લોકોને જણાવ્યું કે જો આપને મહોબ્બત ઉપર ભરોસો હોય, તો આપ અમારી ફિલ્મ રાંઝણા જરૂર જુઓ, કારણ કે તે આપને ફરી એક વાર મહોબ્બત ઉપર ભરોસો કરવો શિખવાડશે.
રાંઝણા ફિલ્મના ગીતો માટે બંને સિતારાઓએ એ આર રહેમાનના મન મૂકીને વખાણ કર્યાં, તો સોનમ કપૂર કહે છે કે ફિલ્મના ગીત તુમ તક... અધ્યાત્મથી પરિપૂર્ણ છે. ધનુષ કહે છે કે આગીતમાં ખૂબ જ ગહેરાઈ છે. આગીતથી આપ સંસ્કૃતિને સમજી અને અનુભવી શકો છો.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

રહેમાને ભર્યું અધ્યાત્મ
સંગીતકાર એ આર રહેમાને ફિલમ રાંઝણાના ગીતો દ્વારા પુનઃ એક વાર પોતાનો જાદુ પાથર્યો છે અને ફિલ્મના મુખ્ય નાયિકા સોનમ કપૂરનું કહેવું છે કે રહેમાને ફિલ્મના તુમ તક... ગીતથી તેના સંગીતમાં અધ્યાત્મ ભરી દીધું છે.

અદ્ભુત છે રહેમાન
બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરના આ 28 વર્ષીય અભિનેત્રી પુત્રી સોનમે ગીત સાથે જોડાયેલ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - તુમ તક... એક આધ્યાત્મિક ભજન જેવું ગીત લાગે છે. અધ્યાત્મ આ ગીતમાં એવી રીતે ભળ્યું છે કે જે આજના સમય અને યુગમાં લાવવાની યોગ્યતા માત્ર રહેમાન ધરાવે છે.

જયપુર ખાતે રાંઝણાનું પ્રમોશન
બંને કલાકારો હાલ તો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જયપુર ખાતે પણ બંનેએ પુરજોશ પ્રમોશન કર્યું.

21મીએ થશે રિલીઝ
આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ રૂમાનિયતથી પરિપૂર્ણ છે. રાયે જણાવ્યું - હકીકતમાં રહેમાને તુમ તક.. ગીતમાં આખી ફિલ્મ નાંખી દીધી છે. ફિલ્મ 21મી જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અભય દેઓલ તથા સ્વરા ભાસ્કર પણ છે.












Click it and Unblock the Notifications
