Gadar 2: શું સંજય દત્તના કારણે અમિષા પટેલે નથી કર્યા લગ્ન? 20 વર્ષથી શોધી રહ્યાં છે પરફેક્ટ મેચ
બોલિવૂડની સકીના એટલે કે અમીષા પટેલ તેની ફિલ્મ ગદર 2ની સફળતા બાદ સતત ચર્ચામાં છે. અભિનેત્રી તેના ઈન્ટરવ્યુને કારણે દરરોજ લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ અમીષાએ ફિલ્મ નિર્દેશક અનિલ શર્મા વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. હવે સંજય દત્ત વિશે એક મજાની વાત પણ કહેવામાં આવી હતી.
અમિષા પટેલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સંજય દત્ત હંમેશા તેના લગ્ન કરાવવા ઈચ્છતો હતો. અભિનેત્રીએ કહ્યું, "સંજુ મારા માટે એક પરિવાર જેવો છે. તે મને કહે છે કે અમીષા તું આ ઈન્ડસ્ટ્રી માટે ઘણી સારી છે, હું તને કાઢી મૂકું છું. તું ખૂબ જ સરળ અને સ્વીટ છે, ચલ હુ તારા લગ્ન કરાવી દઉ."

અમીષા પટેલે વધુમાં જણાવ્યું કે સંજય દત્ત હંમેશાથી તેનું કન્યાદાન કરવા માંગતો હતો અને લગભગ 20 વર્ષથી તે અભિનેત્રી માટે છોકરો શોધી રહ્યો હતો. અમીષા પટેલે કહ્યું, "સંજય દત્ત કહે છે, જબ તેરી શાદી હોગી ના કન્યાદાન મેં કરેંગા, અને જ્યારે તમે લગ્ન કરશો ત્યારે હું ખૂબ જ ખુશ થઈશ. હું તમારા બાળકો, મારા બાળકો સાથે રમીશ." જણાવી દઈએ કે અમીષા પટેલ હાલમાં સિંગલ છે.
11મી ઑગસ્ટના રોજ સિનેમા હૉલમાં રિલીઝ થયેલી ગદર 2 બૉક્સ ઑફિસ પર દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે રિલીઝના 24માં દિવસે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તે વર્ષ 2023માં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
ગદર 2 ફિલ્મમાં તારા સિંહ અને સકીનાની જોડીને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે અમીષા અને સની સિવાય ઉત્કર્ષ શર્મા પણ ગદર 2માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોવું એ રહેશે કે આવનારા દિવસોમાં ફિલ્મ વધુ કેટલા રેકોર્ડ તોડે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
