રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે સંજય દત્ત? જાણો શું કહ્યું?
લોકસભા ચૂંટણી માટે ઘણા ફિલ્મી સિતારાઓ મેદાનમાં ઉતર્યા છે. હવે અહેવાલ છે કે અભિનેતા સંજય દત્ત ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે સંજય દત્ત ચૂંટણી લડવા જઈ રહ્યો છે. હવે આ સવાલનો જવાબ ખુદ સંજય દત્તે આપ્યો છે.

રાજકારણમાં જોડાવા પર સંજયે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને તેના રાજકારણમાં જોડાવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી.
સંજય દત્તે રાજકારણમાં આવવાની અફવાઓ પર બ્રેક લગાવી દીધી છે. અભિનેતાએ પોસ્ટ કરીને લખ્યું કે, હું રાજનીતિમાં જોડાવાની તમામ અફવાઓને અહીં જ રોકવા માંગુ છું. હું કોઈ પક્ષમાં જોડાઈ રહ્યો નથી કે ચૂંટણી લડી રહ્યો નથી.
સંજય દત્તે લખ્યુ કે, જો હું ક્યારેય રાજકારણમાં જવાનું નક્કી કરીશ તો હું પોતે આની જાહેરાત કરનાર પ્રથમ વ્યક્તિ બનીશ. મારા વિશે જે પણ સમાચાર આવી રહ્યા છે તેના પર વિશ્વાસ ન કરો.
જણાવી દઈએ કે સંજય દત્તના પરિવારનો રાજકારણ સાથે ઊંડો સંબંધ છે. તેમના સ્વર્ગસ્થ પિતા સુનિલ દત્ત એક ઉત્તમ અભિનેતા તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા.
સંજયની બહેન પ્રિયા દત્ત પણ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સંજય દત્ત રાજકારણમાં જોડાઈ શકે છે.
સંજય દત્તના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ધ વર્જિન ટ્રીમાં જોવા મળશે. જેમાં સની સિંહ, મૌની રોય અને પલક તિવારી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સંજય પાસે ઘણા પ્રોજેક્ટ છે.
જેમાં વેલકમ ટુ ધ જંગલ, શેરા દી કોમ પંજાબી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વેલકમ ટુ ધ જંગલ આ વર્ષના અંતમાં 20 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
