Pics : ઇસકમાં ઉમેરાશે બનારસી પાનનો પમરાટ!
મુંબઈ, 16 જુલાઈ : ફિલ્મ જગતમાં અલગ-અલગ રીતે ફિલ્મોનું પ્રમોશન કરવાનું ચલણ વધતું જાય છે. એ જ કડીમાં ઇસક ફિલ્મના નિર્માતાઓએ હવે ફિલ્મના પ્રમોશન માટે બનારસી પાનનો સહારો લીધો છે.
મળતી માહિતી મુજબ પ્રતીક બબ્બર તથા અમાયરા દસ્તૂર અભિનીત ઇસક ફિલ્મના નિર્માતાઓએ એવું નક્કી કર્યું છે કે જે લોકો આ ફિલ્મ જોવા જશે, તેમને ઇસ્પેશિયલ બનારસી પાન આપવામાં આવશે. પેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ટીમ અને ફિલ્મના વિતરકોએ ફિલ્મ જોવા જનાર દર્શકો માટે આ ખાસ ઑફર કરી છે. મુંબઈના બે થિયેટરો સિનેમૅક્સ ગ્રોવેલ્સ તથા સિનેમૅક્સ વર્સોવા ખાતે આ નુસ્ખો અજમાવવામાં આવશે. એક નિવેદનમાં જણાવાયું છે કે આ બંને થિયેટરોની બહાર સ્ટૉલ લગાડવામાં આવશે કે જ્યાં ફિલ્મ જોવા જનાર દર્શકોને સ્પેશિયલ બનારસી પાન આપવામાં આવશે.
નોંધનીય છે કે ઇસક ફિલ્મમાં પ્રતીક બબ્બર લીડ રોલમાં છે કે જેઓ બૉલીવુડ કલાકારો રાજ બબ્બર તથા સ્મિતા પાટિલના પુત્ર છે. પ્રતીકના હીરોઇન છે અમાયરા દસ્તૂર. ઉપરાંત રાજેશ્વરી સચદેવ, રવિ કિશન તથા પ્રશાંત નારાયણ જેવા કલાકારો પણ છે.
આવો ઇસક ફિલ્મની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બનારસી ટચ
ઇસક ફિલ્મને બનારસી ટચ આપવામાં આવ્યું છે.

પાનનો આઇડિયા ઉપયોગી
પેન ઇન્ડિયાના માર્કેટિંગ હૅડ અમીરા બાવિશીએ જણાવ્યું કે ફિલ્મના બનારસી ટચને જોતાં દર્શકોને પાન આપવાનો આઇડિયા ઉપયોગી છે.

રોમિયો-જૂલિયેટ આધારિત ઇસક
મનીષ તિવારી દિગ્દર્શિત ઇસક ફિલ્મ વિલિયમ શેક્સપીયર્સના નાટક રોમિયો એન્ડ જૂલિયેટની આધુનિક આવૃત્તિ છે.

પ્રતીક-અમાયરા
ઇસક ફિલ્મમાં રોમિયો-જૂલિયેટનો રોલ પ્રતીક બબ્બર તથા અમાયરા દસ્તૂર કરી રહ્યાં છે.

26મી જુલાઈએ રિલીઝ
ઇસક ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.

પ્રમોશનલ વ્યુહરચના
અમીરા બાવિશીએ જણાવ્યું કે અમે ઇસકની પ્રમોશન વ્યુહરચના એવી રીતે ઘડવા માંગતા હતાં કે જે અવ્યવસ્થાને તોડે અને દર્શકોને અલગ અનુભવ થઈ શકે.

પાન સાથે સ્વાગત
તેમણે જણાવ્યું કે એટલે જ અમે પાન સાથે દર્શકોનું સ્વાગત કરવાનો નિર્ણય કર્યો. એવા પાન કે જેમાં બનારસનો પમરાટ ભળેલી હશે.

રવિ કિશન
ઇસકમાં રવિ કિશન અને રાજેશ્વરી સચદેવ પણ કામ કરી રહ્યાં છે.

પ્રશાંત નારાયણ
ફિલ્મમાં પ્રશાંત નારાયણ પણ મહત્વની ભૂમિકામાં છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
