‘અશ્લીલ નહિં, સ્વસ્થ મનોરંજન પીરસતા હતાં જસપાલ’
અમદાવાદ, 25 ઑક્ટોબર: હજુ લોકો યશ ચોપરાના આકસ્મિક નિધનના શોકમાંથી ઉગર્યા નહોતાં કે હવે જસપાલ ભટ્ટીના અકસ્માતે મોતે લોકોને મોટો આઘાતમાં નાંખી દીધાં છે. ફેસબુક ઉપર પણ લોકોની પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. લોકોએ લખ્યું છે કે ભટ્ટીની કૉમેડીમાં વર્ગાલિટી કે અશ્લીલતા નહોતી, પરંતુ સ્વસ્થ મનોરંજન રહેતુ હતું. તેઓ ક્યારેય પણ પોતાની ચીજ બનાવવા કે વેચવા માટે દ્વિઅર્થી સંવાદો કે અશ્લીલતાનો સહારો નહોતા લેતાં. તેઓ એક સન્માનનીય કલાકાર હતાં કે જેમને લોકો ક્યારેય ભુલાવી નહિં શકે.

અને પાવર કટ...
જસપાલ ભટ્ટી શાહકોટ ખાતે પોતાની આવતીકાલે રિલીઝ થનાર ફિલ્મ પાવર કટના પ્રચાર માટે જઈ રહ્યા હતાં, પરંતુ માર્ગ અકસ્માતે તેમનો જાન લઈ લીધો. જસપાલ ભટ્ટીની ઉંમર 57 વર્ષ હતી. ગાડીમાં તેમની ફિલ્મ હીરોઇન પણ હતી. પોલીસે જસપાલ ભટ્ટીનો પાર્થિવ દેહ પોતાના કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે. તેમના પુત્રના જણાવ્યાં મુજબ ભટ્ટી કાર પોતે ચલાવી રહ્યા હતાં.
એંસી અને નેવુના દશકામાં જસપાલ ભટ્ટીએ શાનદાર ટેલીવિઝન શો જેમ કે ઉલ્ટા-પુલ્ટા અને ફ્લૉપ શો બનાવી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જસપાલ ભટ્ટીએ અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કૉમેડિયન તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ ગત વર્ષે અણ્ણા હજારેના અનશન દરમિયાન દિલ્હીના માર્ગો ઉપર પણ દેખાયા હતાં.
ફિલ્મ પાવર કટનું લેખન-દિગ્દર્શન જસપાલ ભટ્ટીએ જ કર્યુ છે. ફિલ્મમાં તેમના પુત્ર જસરાજ જ હીરો છે, જ્યારે હીરોઇન યામી ગૌતમના બહેન સુરીલી ગૌતમ છે. આ ઉપરાંત તેમના મૅડ આર્ટ્સ ફિલ્મ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝફર ખાન, હિન્દી ફિલ્મોના વિલન પ્રેમ ચોપરા, સવિતા ભટ્ટી, ગુરચેત ચિત્રકાર, ચંદન પ્રભાકર, હરપાલ, બી. એન. શર્મા, રાજેશ પુરી તથા ડૉ. સુરિન્દર શર્મા પણ વિવિધ ભૂમિકાઓમાં છે. પાવર કટ વિજળીની સમસ્યા પર બનાવાયેલી ફિલ્મ છે કે જે આવતીકાલે રિલીઝ થવાની છે.
આ અગાઉ રાષ્ટ્રકવિ અને વ્યંગ્યકાર અશોક ચક્રધરે પણ ભટ્ટીને ભારતીય ચાર્લી ચૅપલિન ગણાવ્યા છે. ચક્રધરે જણાવ્યું કે ભટ્ટી વ્યંગ્યના પુરોધા હતાં. તેઓ સામાન્ય માણસના દર્દને સમજતાં હતાં. તેથી તેમના કાર્યક્રમો લોકો પસંદ કરતા હતાં.
નોંધનીય છે કે ભટ્ટીનું માર્ગ અકસ્તમાતમાં મૃત્યુ થઈ ગયું છે. ગુરુવાર વહેલી સવારે ત્રણ વાગ્યે તેમની કાર પંજાબમાં જલંધર પાસે શાહકોટમાં એક ટ્રૉલી સાથે અથડાઈ પડી. તેમાં તેમનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં તેમના પુત્ર જસરાજ ભટ્ટી પણ ઈજાગ્રસ્ત થયાં છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
