‘અશ્લીલ નહિં, સ્વસ્થ મનોરંજન પીરસતા હતાં જસપાલ’
અમદાવાદ, 25 ઑક્ટોબર: હજુ લોકો યશ ચોપરાના આકસ્મિક નિધનના શોકમાંથી ઉગર્યા નહોતાં કે હવે જસપાલ ભટ્ટીના અકસ્માતે મોતે લોકોને મોટો આઘાતમાં નાંખી દીધાં છે. ફેસબુક ઉપર પણ લોકોની પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. લોકોએ લખ્યું છે કે ભટ્ટીની કૉમેડીમાં વર્ગાલિટી કે અશ્લીલતા નહોતી, પરંતુ સ્વસ્થ મનોરંજન રહેતુ હતું. તેઓ ક્યારેય પણ પોતાની ચીજ બનાવવા કે વેચવા માટે દ્વિઅર્થી સંવાદો કે અશ્લીલતાનો સહારો નહોતા લેતાં. તેઓ એક સન્માનનીય કલાકાર હતાં કે જેમને લોકો ક્યારેય ભુલાવી નહિં શકે.

અને પાવર કટ...
જસપાલ ભટ્ટી શાહકોટ ખાતે પોતાની આવતીકાલે રિલીઝ થનાર ફિલ્મ પાવર કટના પ્રચાર માટે જઈ રહ્યા હતાં, પરંતુ માર્ગ અકસ્માતે તેમનો જાન લઈ લીધો. જસપાલ ભટ્ટીની ઉંમર 57 વર્ષ હતી. ગાડીમાં તેમની ફિલ્મ હીરોઇન પણ હતી. પોલીસે જસપાલ ભટ્ટીનો પાર્થિવ દેહ પોતાના કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે. તેમના પુત્રના જણાવ્યાં મુજબ ભટ્ટી કાર પોતે ચલાવી રહ્યા હતાં.
એંસી અને નેવુના દશકામાં જસપાલ ભટ્ટીએ શાનદાર ટેલીવિઝન શો જેમ કે ઉલ્ટા-પુલ્ટા અને ફ્લૉપ શો બનાવી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જસપાલ ભટ્ટીએ અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કૉમેડિયન તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ ગત વર્ષે અણ્ણા હજારેના અનશન દરમિયાન દિલ્હીના માર્ગો ઉપર પણ દેખાયા હતાં.
ફિલ્મ પાવર કટનું લેખન-દિગ્દર્શન જસપાલ ભટ્ટીએ જ કર્યુ છે. ફિલ્મમાં તેમના પુત્ર જસરાજ જ હીરો છે, જ્યારે હીરોઇન યામી ગૌતમના બહેન સુરીલી ગૌતમ છે. આ ઉપરાંત તેમના મૅડ આર્ટ્સ ફિલ્મ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝફર ખાન, હિન્દી ફિલ્મોના વિલન પ્રેમ ચોપરા, સવિતા ભટ્ટી, ગુરચેત ચિત્રકાર, ચંદન પ્રભાકર, હરપાલ, બી. એન. શર્મા, રાજેશ પુરી તથા ડૉ. સુરિન્દર શર્મા પણ વિવિધ ભૂમિકાઓમાં છે. પાવર કટ વિજળીની સમસ્યા પર બનાવાયેલી ફિલ્મ છે કે જે આવતીકાલે રિલીઝ થવાની છે.
આ અગાઉ રાષ્ટ્રકવિ અને વ્યંગ્યકાર અશોક ચક્રધરે પણ ભટ્ટીને ભારતીય ચાર્લી ચૅપલિન ગણાવ્યા છે. ચક્રધરે જણાવ્યું કે ભટ્ટી વ્યંગ્યના પુરોધા હતાં. તેઓ સામાન્ય માણસના દર્દને સમજતાં હતાં. તેથી તેમના કાર્યક્રમો લોકો પસંદ કરતા હતાં.
નોંધનીય છે કે ભટ્ટીનું માર્ગ અકસ્તમાતમાં મૃત્યુ થઈ ગયું છે. ગુરુવાર વહેલી સવારે ત્રણ વાગ્યે તેમની કાર પંજાબમાં જલંધર પાસે શાહકોટમાં એક ટ્રૉલી સાથે અથડાઈ પડી. તેમાં તેમનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં તેમના પુત્ર જસરાજ ભટ્ટી પણ ઈજાગ્રસ્ત થયાં છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
