કાજોલના ચોરાયેલા 17 પાટલા જપ્ત, બે નોકરોની ધરપકડ

મુંબઈ, 30 ઑક્ટોબર : અને આખરે સિને અભિનેતા અજય દેવગણ તેમજ અભિનેત્રી કાજોલના ઘરે થયેલી ચોરીનું રહસ્ય ખુલી ગયું છે. મુંબઈ પોલીસે મંગળવારે કાજોલના ઘરે કામ કરતા બે નોકરો દેવેન્દ્ર તથા સંતોષ પાન્ડેની ધરપકડ કરી લીધી અને તેમની પાસેથી સોનાના 17 પાટલા જપ્ત પણ કરી લીધી છે. આજે બંને આરોપીઓને અંધેરી ખાતેની મજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયાં કે જ્યાંથી બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલા અપાયાં.

kajol
નોંધનીય છે કે કાજોલ અને અજય દેવગણને ચોરી અંગેની જાણ કરવા ચોથના દિવસે થઈ હતી કે જ્યારે કાજોલ પૂજા માટે તૈયાર થવા પોતાની અલમારીમાંથી પાટલાઓ પહેરવા પોતાનું જ્વૅલરી બૉક્સ ખોલતા હતાં. તેમણે જોયું કે તે બૉક્સ અગાઉ થી ખુલેલુ હતું અને તેમાંના તમામ પાટલાઓ ગાયબ હતાં.

જોકે અજય દેવગણ અને કાજોલ પહેલી વખત ચોરીના બનાવનો ભોગ નથી બન્યાં. અગાઉ 2008માં પણ તેમના ઘરે ચોરી થઈ હતી અને તેમાં નોકરનો જ હાથ હતો કે જેની છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરેથી પણ ચોરી થઈ હતી. ચોરાયેલ સામાનમાં મ્યુઝિક સિસ્ટમ તથા આઈપૅડનો સમાવેશ થતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X