વિશ્વરૂપ બમ્પર હિટ, કમલે છોડાવ્યું ગિરવે મુકેલું ઘર
મુંબઈ, 2 ફેબ્રુઆરી : હિન્દીમાં કહેવત છે દેર આયદ-દુરુસ્ત આયદ. કંઈક એવું જ થયું છે તામિળ ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસન સાથે. કમલ હસનની વિવાદાસ્પદ ફિલ્મ વિશ્વરૂપ મેગાહિટ થઈ છે. આ ફિલ્મ માટે પોતાનું બધુ દાવ ઉપર લગાવનાર અભિનેતા કલમ હસન માટે હવે ખુશીની એ ક્ષણ આવી ગઈ છે. આ ફિલ્મની સફળતાના કારણે જ કમલ હસનને હવે પોતાનું ગિરવે મુકેલું ઘર પાછું મળી જશે. આ ઘર વિશ્વરૂપના નિર્માણ માટે કમલે ચેન્નઈમાં ગિરવે મુકી દીધુ હતું.
વિશ્વરૂપ ફિલ્મે અત્યાર સુધી 200 કરોડનો વ્યવસાય કર્યો છે અને હજુય તેની કમાણી ચાલુ જ છે. ફિલ્મ હિટ થતાં જ કમલ ચેન્નઈ પહોંચ્યા કે જ્યાં તેમણે સૌપ્રથમ પોતાનું ગિરવે મુકેલું ઘર છોડાવ્યું. તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ટુંકમાં જ કમલને તેમના ઘરની ચાબી સોંપી દેવાશે.
નોંધનીય છે કે કમલ હસનની આ ફિલ્મ અંગે વિવાદ ઊભો થઈ ગયો હતો. કેટલાંક મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે તામિળનાડુ સરકારે ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધુ હતું. જોકે કલમ હસન હવે ખુશ છે. તેમણે જણાવ્યું - તમામ મુશ્કેલીઓ છતાં મારી ફિલ્મ લોકો સુધી પહોંચી અને લોકોએ તેને પસંદ કરી. હું સૌનો આભાર વ્યક્ત કરુ છું. કમલ હસન હાલ પોતાની બીજી પુત્રી અક્ષરાની લૉન્ચિંગમાં વ્યસ્ત છે કે જેઓ ટુંકમાં જ ફિલ્મોમાં આવનાર છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?











Click it and Unblock the Notifications
