કરણ જોહરના બાળકોની મા કોણ છે? છોકરાઓના આવા સવાલ પર ફિલ્મમેકર મૂકાય છે મુશ્કેલીમાં
Karan Johar Kids: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરની ગણતરી સફળ નિર્માતા અને નિર્દેશકોમાં થાય છે. તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ જો કરણના અંગત જીવનની વાત કરીએ તો તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.
કરણ જોહરે લગ્ન કર્યા વગર વર્ષ 2017માં સરોગસી દ્વારા બે બાળકોને જન્મ આપ્યો હતો. તેણે એકલા હાથે પોતાના બાળકોને સારી રીતે ઉછેર્યા છે. કરણે માત્ર પિતા બનીને જ નહીં પરંતુ માતા બનીને પણ બાળકોને સારો ઉછેર આપ્યો છે. પરંતુ જેમ જેમ બંને બાળકો મોટા થઈ રહ્યા છે, તેઓ તેમની માતાને લગતા પ્રશ્નો પૂછે છે.

કરણ જોહરે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પોતાના બાળકોના પ્રશ્નોને કેવી રીતે હેન્ડલ કરે છે. તેણે કહ્યું, 'જેમ જેમ બાળકો મોટા થઈ રહ્યા છે, હું દરરોજ તેમના પ્રશ્નોનો સામનો કરી રહ્યો છું. જેમ કે તે પૂછે કે હું કોના પેટમાંથી જન્મ્યો છું? પરંતુ મમા તો મારી મા નથી, તે અમારી દાદી છે.
કરણે કહ્યું કે તે આ બધા પ્રશ્નોનો સામનો કેવી રીતે કરવો તે જાણવા માટે કાઉન્સેલર પાસે જાય છે. તેણે કહ્યું, 'માતાપિતા બનવું ક્યારેય સરળ નહોતું. હું મારા પુત્રના વધતા વજનને લઈને પણ ચિંતિત છું. જ્યારે હું તેને ખાંડ ખાતા જોઉં છું, ત્યારે હું જોઉં છું કે તેનું વજન વધી રહ્યું છે પરંતુ હું તેને આ વાત સીધી રીતે કહી શકતો નથી. હું ઈચ્છું છું કે તે ગમે તે તબક્કામાં હોય અને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લે, તેના જીવનનો આનંદ માણે.
કરણ જોહરે વધુમાં જણાવ્યું હતું કે, "હું તેને રમત રમવા, ફૂટબોલ રમવા, ક્રિકેટ રમવા, તે બધું કરવા માટે પ્રોત્સાહિત કરું છું જે મેં નથી કર્યું, અને પછી હું મારી જાતને વિચારું છું કે મારે આવા માતાપિતા નથી બનવુ. આ એ નથી જે હું બનવા માંગતો હતો, હું ઇચ્છું છું કે મારું બાળક તે કરે જે તેને ગમે છે." તમને જણાવી દઈએ કે કરણ તેની 81 વર્ષની માતા, ફિલ્મ પ્રોડ્યુસર હીરૂ જોહર સાથે મળીને તેના બાળકોનો ઉછેર કરી રહ્યો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
