Exclusive: કરીનાના લગ્ન સૈફ નહી, ઇમરાન સાથે થવા જોઇતા હતાં!
કરીના કપૂરના લગ્ન બાદ દરેક જણ કરીના અને સૈફ અલી ખાનની જોડીને લઇને ઘણી વાતો કરતા જોવા મળ્યા. પરંતુ તાજેતરમાં જ કરણ જોહરે ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંનું ટ્રેલર લોન્ચિંગ દરમિયાન કહ્યું હતું કે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન બદલે કરીના કપૂર અને ઇમરાન ખાનને લગ્ન કરવા જોઇતા હતા કારણ કે બંનેની જોડી સારી દેખાય છે અને સાથે જ બંને કેમિસ્ટ્રી પણ સારી છે.
કરીના કપૂરે કરણ જોહરને કહ્યું હતું કે તે આ પ્રકારની વાત કરીને કોઇપણ પ્રકારની કોન્ટ્રોવર્સી ઉભી ન કરે. પરંતુ આ અંગે કરણ જોહરે કહ્યું હતું કે તે ફક્ત વાત કરી રહ્યાં છે. આમ તો કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને લઇને આ પ્રકારની વાતો કર્યા પછી કરણ જોહરને ખરેખર સૈફ અલી દ્વારા કંઇ સાંભળવું ન પડે.
કરીના કપૂર અને ઇમરાનની જોદી પહેલીવાર એક મેં ઔર એક તૂમાં જોવા મળ્યા હતા પરંતુ ત્યારબાદ કરીના અને ઇમરાન ઘણા સમય સુધી એકબીજાની જોવા મળ્યા ન હતા અને ફિલ્મને લઇને કંઇ ખાસ સફળતા મળી ન હતી. પરંતુ હવે ફરી એકવાર કરીના કપૂર અને ઇમરાન ખાનની જોડી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં માં નજરે પડશે. કરીના અને ઇમરાન ખાન વચ્ચેની કેમિસ્ટ્રીની વાત કરીએ તો કરણ જોહરે ઘણુ બધું કહ્યું પરંતુ આ ઉપરાંત ઇમરાને પણ કહ્યું હતું કે આવું પણ થઇ શકે છે.
ઇમરાન ખાને તેનું કારણ પણ જણાવ્યું હતું કે તેની અને કરીનાની કેમિસ્ટ્રી કેમ આટલી સારી લાગે છે. તેમને કહ્યું હતું કે કરીના કપૂરમાં ઘણી એવી ક્વોલિટી છે જે તેમની પત્ની અવંતિકા સાથે મળે છે. માટે પણ કરીના કપોર સાથે કામ કરવું તેમને સારું લાગે છે.
ગોરી તેરે પ્યાર મેં ટ્રેલર લોન્ચ
કરણ જોહરના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં કરીના કપૂર અને ઇમરાન ખાન મુખ્ય ભૂમિકામાં છે. કરણ જોહરે ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યું હતું કે કરીના અને ઇમરાન ખાનની જોડી ઘણી સારી લાગે છે.
કરીનાને ઇમરાન સાથે લગ્ન કરવા જોઇતા હતા
કરણ જોહરને એ સમજાતું નથી કે કરીના કપૂરના લગ્ન ઇમરાન ખાન સાથે કેમ ન થયા. કરણ જોહરે કહ્યું હતું કે કરીના કપૂર અને ઇમરાન ખાન બંનેના લગ્ન અલગ અલગ વ્યક્તિઓ સાથે થયા પરંતુ તેમને લાગે છે કે કરીના કપૂર અને ઇમરાન ખાનની જોડી વધુ ફિટ છે.
કરીનાએ કહ્યું પ્લીઝ કોન્ટ્રોવર્સી ના બનાવો
કરીના કપૂરે કરણ જોહરને કહ્યું હતું કે પ્લીઝ આ બોલીને તે કોઇ નવો વિવાદ ઉભો ન કરે. પરંતુ કરણ જોહરે કહ્યું હતું કે તે ફક્ત એમ કહી રહ્યા છે કે કરીના કપૂર અને ઇમરાન ખાનને તેમને પોતાની ફિલ્મમાં કેમ લીધા.
કરીના જાણે સૈફની વાત
કરણ જોહર દ્વારા આમ કહેવા પર કે કરીના કપૂર અને ઇમરાન ખાનની સાથે લગ્ન થવા જોઇતા હતા અને અત્યારે પણ થઇ શકે છે તો આ મુદ્દે કરીનાએ પણ કહ્યું હતું કે સૈફનું શું થશે. કરીનાની આ વાત કરણ જોહરે કહ્યું હતું કે સૈફ વિશે તો કરીના જાણે.
કરીના અને અવંતિકામાં કઇ કોમન વાત છે
કરીના કપૂર સાથે પોતાના લગ્નને લઇને કરણ જોહરએ જે પણ કહ્યું છે તેના પર ઇમરાન ખાને કહ્યું હતું કે કરીના કપૂરની સાથે કામ કરવામાં મજા આવે છે કારણ કે કરીના અને અવંતિકા બંને વચ્ચે ઘણી સમાનતા છે.