‘કરીના-કથા’ ઉપર કૅટની બ્રેક, રણબીર સાથે લગ્ન નહીં!
મુંબઈ, 11 ડિસેમ્બર : બૉલીવુડમાં વાતનુ વતેસર બનવામાં વાર નથી લાગતી. કોઈ પણ સેલિબ્રિટીના મોઢામાંથી એક વાત નિકળી નથી કે તે અંગે હજારો નવી વાતો ઉપજી જાય છે અને પછી શરૂ થાય છે ગેરસજમણો. હાલ તો અમે વાત કરી રહ્યાં છીએ કરીના કપૂર અને કૅટરીના કૈફ વિશે. તાજેતરમાં જ કરીનાએ કૉફી વિથ કરણ શો દરમિયાન કૅટને પોતાના ભાભી કહી સંબોધ્યા હતાં અને એમ પણ કહ્યુ હતું કે તેઓ રણબીરના લગ્નના દિવસે કૅટના હિટ ડાન્સ નમ્બર્સ પર ડાન્સ પરફૉર્મંસ આપશે.
હવે કૅટરીના કૈફ સામે આવ્યા છે. તેમણે ધૂમ 3 ફિલ્મની એક ઈવેંટ દરમિયાન નવા ખુલાસા કર્યાં. તેમને પૂછવામાં આવ્યું કે કરીના આવુ કેમ બોલ્યાં અને શું સાચે જ તેઓ રણબીર કપૂર સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે, તો જવાબમાં કૅટે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ રણબીર કપૂર સાથે લગ્ન કરવા નથી જઈ રહ્યાં કે નથી કોઇક બીજા સાથે. હાલ તેમનો લગ્ન કે સગપણ કરવાનો કોઈ ઇરાદો નથી.
આવો તસવીરો સાથે જોઇએ કે કૅટે વધુમાં શું કહ્યું :

ભાઈ-બહેનની મસ્તી
કરીના કપૂરે ભાભી તરીકે સંબોધવા અંગેના પ્રશ્નના જવાબમાં કૅટરીનાનો જવાબ હતો - કરીના અને રણબીર બંને ભાઈ-બહેન છે અને એક-બીજાની ટાંગ ખેંચતા હશે.

મોટી વાત નથી
કૅટે જણાવ્યું - આ બાબતને આટલી મોટી ગણવાની કોઈ જરૂર નથી. આ માત્ર મજાકમાં કહેવાયેલી વાત હતી, નહીં કે સીરિયસલી.

ખબર નથી ક્યારે લગ્ન થશે
કૅટે જણાવ્યું - એ વાત નક્કી છે કે હું હાલ કોઈની સાથે લગ્ન કે સગપણ નથી કરી રહી. હું કોઈની સાથે લગ્ન નથી કરી રહી. મને નથી ખબર કે મારા લગ્ન 10 વર્ષે થશે કે પછી વીસ વર્ષે.

રણબીરના લગ્નમાં નાચીશ
કૅટરીનાને પૂછવામાં આવ્યું કે શું તેઓ રણબીરના લગ્નમાં ડાન્સ કરશે, તો કૅટે જણાવ્યું - જરૂર. હું રણબીરના લગ્નમાં ડાન્સ કરીશ અને તે પણ રણબીરની ફિલ્મ બેશરમના હિટ ગીત ઉપર.

ધૂમ 3માં વ્યસ્ત
કૅટરીના કૈફ હાલ પોતાની આવનાર ફિલ્મ ધૂમ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જે આ જ મહીને રિલીઝ થવાની છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
