Pics : ‘લિટ્ટેને ખોટી રીતે રજૂ નથી કરાયું મદ્રાસ કૅફેમાં’
મુંબઈ, 6 ઑગસ્ટ : 23મી ઑગસ્ટે રૂપેરી પડદે જ્હૉન અબ્રાહમ નિર્મિત ફિલ્મ મદ્રાસ કૅફે પહોંચી રહી છે. એક બાજુ મદ્રાસ કૅફે પહેલા અને પછી મોટી ફિલ્મો રિલીઝ થતી હોવાથી જ્હૉન ચિંતામાં છે, તો બીજી બાજુ તામિળ સંગઠનોએ ફિલ્મ અંગે હોબાળો શરૂ કર્યો છે. તામિળ સંગઠનો કહી રહ્યાં છે કે ફિલ્મમાં તામિળ વ્યાઘ્રો સંગઠન એટલે કે લિટ્ટેને ખોટી રીતે રજૂ કરાયું છે. તેથી તેઓ ફિલ્મ રિલીઝ સામે વાંધો ઉઠાવી રહ્યાં છે.
આ અંગે કોઈ હોબાળો ઊભો થાય, તે પહેલાં જ જ્હૉને પરિસ્થિતિની ગંભીરતા સમજી સ્પષ્ટતા કરી દીધી છે. જ્હૉને ગઈકાલે ફિલ્મ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું કે તેમની ફિલ્મમાં કોઈ વ્યક્તિ વિશેષ કે સંગઠન વિશેષ ઉપર કોઈ ટીકા-ટિપ્પણી કરવામાં આવી નથી અને નથી કોઈને આતંકવાદી તરીકે દર્શાવાયું છે. જ્હૉન અબ્રાહમ તો વિરોધ કરનારાઓ માટે ફિલ્મનો એક પ્રિવ્યૂ શો કરવા માટે પણ તૈયાર છે.
જોકે જ્હૉને જણાવ્યું કે ફિલ્મ કેટલાંક સત્ય તથ્યો ઉપર આધારિત જરૂર છે. તામિળ સમર્થક સંગઠન નામ તમિજારના સંસ્થાક સીમને લિટ્ટેને ખોટી રીતે ચિતરવાનો આરોપ લગાવતાં મદ્રાસ કૅફે ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. સુજીત સરકાર દિગ્દર્શિત મદ્રાસ કૅફેમાં નરગિસ ફખરી પણ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

જ્હૉનની સ્પષ્ટતા
જ્હૉને ગઈકાલે ફિલ્મ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું કે તેમની ફિલ્મમાં કોઈ વ્યક્તિ વિશેષ કે સંગઠન વિશેષ ઉપર કોઈ ટીકા-ટિપ્પણી કરવામાં આવી નથી અને નથી કોઈને આતંકવાદી તરીકે દર્શાવાયું છે. જ્હૉન અબ્રાહમ તો વિરોધ કરનારાઓ માટે ફિલ્મનો એક પ્રિવ્યૂ શો કરવા માટે પણ તૈયાર છે.

તામિળ સંગઠનોએ કર્યો વિરોધ
જ્હૉને જણાવ્યું કે ફિલ્મ કેટલાંક સત્ય તથ્યો ઉપર આધારિત જરૂર છે. તામિળ સમર્થક સંગઠન નામ તમિજારના સંસ્થાક સીમને લિટ્ટેને ખોટી રીતે ચિતરવાનો આરોપ લગાવતાં મદ્રાસ કૅફે ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

જ્હૉનનો અલગ અવતાર
જ્હૉન અબ્રાહમ મદ્રાસ કૅફેમાં એકદમ અલગ અંદાજમાં દેખાશે. એમ કહો કે લોકોને તેમનો નવો અવતાર આ ફિલ્મમાં દેખાશે.

નરગિસ ફખરી
સુજીત સરકાર દિગ્દર્શિત મદ્રાસ કૅફે ફિલ્મમાં નરગિસ ફખરી પણ છે.

શ્રીલંકામાં પણ શૂટિંગ
આતંકવાદ તેમજ ગૃહ યુદ્ધનું ચિત્રણ કરનાર મદ્રાસ કૅફે ફિલ્મનું શૂટિંગ ભારત તેમજ શ્રીલંકામાં થયું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
