Mamta Kulkarni : દિક્ષા લીધા બાદ મમતા કુલકર્ણીનું પહેલુ નિવેદન સામે આવ્યુ, જાણો શું કહ્યું?
Mamta Kulkarni : બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહીને સન્યાસનો રસ્તો લીધો છે. મમતાએ કુંભમાં દિક્ષા લીધી છે અને મહામંડલેશ્વર બની.
હાલમાં જ મહાકુંભમાં મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાની દિક્ષા લીધી અને મહામંડલેશ્વર બની. સંગમમાં પોતાનું જ પીંડદાન કરીને મમતાએ સંસારનો ત્યાગ કર્યો અને મમતા નંદગીરી બની ગઈ.

હવે મહામંડલેશ્વર બન્યા બાદ મમતા કુલકર્ણીનું નિવેદન સામે આવ્યુ છે. મમતાએ મીડિયા સાથે વાત કરતા તમામ સવાલોના જવાબ આપ્યા.
દૈનિક ભાસ્કર સાથે વાત કરતા મમતાએ કહ્યું કે, તેણે 23 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી માનવજાતના કલ્યાણ માટે સંન્યાસ લીધો છે. આ પછી કોઈ લગ્ન કરતું નથી. આ પગલાથી આ પ્રશ્નનો અંત આવ્યો છે.
મમતાએ આગળ કહ્યું કે, તેને ખુશી છે કે તે સનાતન ધર્મ સાથે આગળ વધશે. તેણીએ પોતાને મહાકાલ અને મા કાલીની ભક્ત ગણાવી.
કિન્નર અખાડામાં જોડાવા અંગે મમતા કુલકર્ણીએ કહ્યું કે, અહીં સ્વતંત્રતા છે. કોઈ પ્રતિબંધ નથી. દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની સ્વતંત્રતા હોય છે. તમે કોઈપણ પ્રકારના કપડાં પહેરી શકો છો. તેણીએ આગળ કહ્યું કે, મેં હમણાં જ બોલિવૂડને અલવિદા કહ્યું છે, છતાં તેમણે મને કોઈપણ ધાર્મિક પરિષદમાં ભાગ લેવાની અથવા કોઈપણ પાત્ર ભજવવાની સ્વતંત્રતા આપી છે. હું કોઈપણ ફંક્શનમાં જઈ શકું છું.
સન્યાસ દરમિયાન રડવાના પ્રશ્નનો જવાબ આપતાં મમતા કુલકર્ણીએ કહ્યું કે, જેમ કોઈ ખેલાડી ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે સખત મહેનત કરે છે અને જીતે ત્યારે ખુશી અનુભવે છે, તેમ તેની સાથે પણ એવું જ હતું. તે મહામંડલેશ્વર બનવા માંગતી હતી અને તે બની ગઈ. તેની 23 વર્ષની તપસ્યા રંગ લાવી.
મમતા કુલકર્ણીએ જણાવ્યું કે, તેમણે આ બધું વર્ષ 2000 માં જ શરૂ કર્યું હતું. તેના ગુરુ શ્રી ચૈતન્ય ગગન ગિરિ ગુરુ નાથજી છે, જેમની પાસેથી તેમણે દીક્ષા લીધી છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
