એકતા-આમિર સાથે ફિલ્મ બનાવશે મણિરત્નમ
મુંબઈ, 24 એપ્રિલ : દક્ષિણ ભારતીય સિનેમામાં મોટું નામ ધરાવતાં મણિરત્નમ પુનઃ બૉલીવુડ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. તે પણ મોટા દિગ્ગજો સાથે. સમાચાર છે કે મણિરત્નમ ટુંકમાં જ આમિર ખાન અને એકતા કપૂર સાથે ફિલ્મ બનાવવાનાં છે.
એવું નથી કે ત્રણે એક સાથે ફિલ્મમાં કામ કરવાના છે. હકીકતમાં મણિરત્નમની એક સ્ક્રિપ્ટ આમિર ખાનને ગમી ગઈ છે. તેથી તેઓ મણિરત્નમ સાથે કામ કરવા જઈ રહ્યાં છે, તો બીજી બાજુ એકતા કપૂર મણિરત્નમ સાથે મળી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. આમિર અને એકતા મણિરત્નમ સાથે જુદા-જુદા કામ કરવાનાં છે.
મળતી માહિતી મુજબ મણિરત્નમે આમિર ખાન સાથે કરીના કપૂરને પણ સાઇન કર્યાં છે અને એ. આર. રહેમાનને સાઇન કરવાનાં છે.
આપને જણાવી દઇએ કે મણિરત્નમે 2011માં મોટા બજેટની રાવણ ફિલ્મ બનાવી હતી કે જે સુપર ફ્લૉપ રહી હતી. ફિલ્મમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન ઉપરાંત સૂર્યા લીડ રોલમાં હતાં. ફિલ્મ રિલીઝ થયા બાદ અમિતાભ બચ્ચને ફિલ્મની ખૂબ ટીકા કરી હતી અને જણાવ્યુ હતું કે જાણીજોઈને અભિષેકના રોલ સાથે ચેડા કરી તેને ખરાબ બનાવાયુ હતું કે જેથી ફિલ્મ ફ્લૉપ થઈ. આ પછી બચ્ચન પરિવાર અને મણિરત્નમ વચ્ચે અણબનાવના સમાચારો પણ આવ્યા હતાં. મણિરત્નમે શાહરુખ ખાન સાથે પણ દિલ સે નામની ફ્લૉપ ફિલ્મ આપી હતી. હવે જોઇએ તેઓ આમિર ખાન સાથે કયો જાદૂ કરે છે?