મનોજ બાજપેયીના પિતાનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયી (RK બાજપેયી) નું 83 વર્ષની વયે નિધન થયું છે. 83 વર્ષીય રાધાકાંત બાજપાઈની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
નવી દિલ્હી : ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયી (RK બાજપેયી) નું 83 વર્ષની વયે નિધન થયું છે. 83 વર્ષીય રાધાકાંત બાજપાઈની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આરકે બાજપેયી છેલ્લા બે અઠવાડિયાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત લથડી રહી હતી.

મનોજ બાજપેયીના એક નજીકના મિત્રએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. મિત્રએ લખ્યું કે, "વડીલ ભાઈ અને બોલિવૂડ સુપરસ્ટાર મનોજ બાજપેયી ભૈયાના પિતાનું આજે દિલ્હીમાં નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી રહી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.
बड़े भाई और बॉलीवुड के सुपरस्टार @BajpayeeManoj भैया के पिताजी का आज दिल्ली में स्वर्गवास हो गया। पिछले कुछ दिनों से उनकी तबियत खराब थी और सेहत में लगातार गिरावट आ रही थी। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे। ॐ शांति
— Shailendra Pratap (@Spratapofficial) October 3, 2021
બે સપ્તાહ પહેલા મનોજ બાજપેયી કેરળમાં હતા, ત્યારે તેમને તેમના પિતાની તબિયત વિશે ખબર પડી હતી. પિતાની બીમારીની માહિતી મળ્યા બાદ મનોજ કેરળમાં પોતાની ફિલ્મનું શૂટિંગ છોડી દિલ્હી પહોંચ્યો હતો.
મનોજ બાજયાયીના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, મનોજના પિતાની હાલત ગંભીર છે. પિતાની તબિયત વિશે જાણ્યા બાદ મનોજ પોતાના પરિવાર સાથે રહેવા દિલ્હી પહોંચ્યો હતો. તે કેરળમાં તેના પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો. મનોજ તેના પિતાની ખૂબ નજીક છે અને તેના પિતાએ અનેક પ્રસંગોએ તૈયાર કરેલા ભોજનની પ્રશંસા કરી છે.
ઉલ્લેખનીય છે કે, મનોજનો જન્મ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેટૈયા નગર પાસેના એક નાના ગામ બેલવામાં થયો હતો. મનોજે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્કૂલિંગ કર્યું છે. જે બાદમાં તે અભિનેતા બનવાનું સપનું પૂરું કરવા મુંબઈ આવી ગયો હતો. 52 વર્ષીય મનોજ બાજપેયી હાલમાં તેમના ઘણા OTT શોમાં કામ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
