OSO : મનોજ કુમાર આજે શાહરુખ વિરુદ્ધ કેસ કરશે
મુંબઈ, 1 એપ્રિલ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમાર આજે શાહરુખ ખાન અને ઇરોઝ કમ્પની સામે કેસ નોંધાવશે. મનોજ કમારની ફરિયાદ છે કે શાહરુખ ખાન અને ફરાહ ખાને પોતાની ફિલ્મ ઓમ શાંતિ ઓમ જાપાનમાં તેમના સીન્સ કાપ્યાં વગર રિલીઝ કરી દીધી છે, જ્યારે મનોજ કુમારે ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તે સીન્સ હટાવવા કહ્યુ હતું કે જેમાં શાહરુખ અને શ્રેયસ તળપદે મનોજ કુમારની એક્ટિંગની મજાક ઉડાવી છે. શાહરુખ તે વખતે તો સીન્સ હટાવી દીધા હતા, પરંતુ તાજેતરમાં જાપનામાં ઓમ શાંતિ ઓમ રિલીઝ કરાઈ કે જેમાં તે તમામ સીન્સ મોજૂદ હતાં.

મનોજ કુમારે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ આ વખતે શાહરુખને નહીં બખ્શે. મનોજ કુમાર આજે શાહરુખ અને ઇરોઝ કમ્પની વિરુદ્ધ 100 કરોડનો બદનક્શીનો દાવો કરવાના છે.
મનોજ કુમારે ઓએસઓ ભારતમાં રિલીઝ થઈ, ત્યારે શાહરુખ અને તેમની કમ્પની વિરુદ્ધ કેસ કર્યો હતો. જોકે ત્યારે યશ ચોપરાએ શાહરુખ અને ફરાહ સાથે મનોજ કુમારની મીટિં કરાવી સમજૂતી કરાવી આપી હતી. કોર્ટે પણ શાહરુખને ચુકાદો સંભળાવ્યો હતો કે તેઓ પોતાની ફિલ્મમાંથી તે તમામ સીન્સ હટાવી દે કે જેમાં મનોજ કુમારની મજાક ઉડાડવામાં આવી હતી, પરંતુ આ વખતે મનોજ કુમાર સમજૂતીના મૂડમાં નથી.












Click it and Unblock the Notifications
