‘ભારત’ મનોજ કુમાર હૉસ્પિટલમાં દાખલ
મુંબઈ, 22 જુલાઈ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમાર બીમાર છે. તેમને કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બૉલીવુડમાં દેશપ્રેમની ફિલ્મો બનાવી ભારત કુમાર તરીકે જાણીતાં થયેલાં મનોજ કુમારને બે દિવસ અગાઉ કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ બૉલીવુડના અભિનેતા, નિર્માતા-દિગ્દર્શક મનોજ કુમારની તબીયત સ્થિર છે અને આજ-કાલમાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે.

મનોજ કુમાર સાથે સંકળાયેલા નજીકના સૂત્રે જણાવ્યું - મનોજ કુમારને બે દિવસ અગાઉ હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતાં અને હવે તેઓની તબીયત સારી છે. તેમને આજ-કાલમાં જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. મનોજ કુમારે પિત્તાશયમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તે પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મનોજ કમાર બૉલીવુડ જગતમાં ભારત કુમાર તરીકે જાણીતાં છે. તેમણે શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, યલગાર, શોર, રોટી કપડા ઔર મકાન તથા ક્રાંતિ જેવી ફિલ્મોમાં મહત્વના અને દેશભક્ત નાગરિકના રોલ કર્યાં છે.
મનોજ કુમાર તાજેતરમાં જ પ્રાણ સાહેબના નિધન દરમિયાન જાહેરમાં દેખાયા હતાં. ઉપરાંત તેઓ તાજેતરમાં જ શાહરુખ ખાન અભિનીત ઓમ શાંતિ ઓમમાં પોતાના અપમાન બદલ પણ ચર્ચામાં આવ્યા હતાં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
