Pictures : કોઈ કામ નહીં રહે, ત્યારે લગ્ન કરીશ-અમીષા
મુંબઈ, 6 ડિસેમ્બર : અમીષા પટેલે વર્ષ 2002માં ફિલ્મ કહો ના પ્યાર સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો અને પછી તેમણે ગદર ફિલ્મ વડે ધૂમ મચાવી, પરંતુ પછી તેમની ફિલ્મો એક પછી એક ફ્લૉપ નિવડી. એક બાજુ ફિલ્મો ફ્લૉપ, તો બીજી બાજું અમીષાનું ઉદ્ધત વર્તન. ક્યારેક સંજય દત્તે તેમને ઠપકો આપ્યો, તો ક્યારેક કોઈ દિગ્દર્શકે ફિલ્મમાંથી કાઢી મુકી. આ બધુ એટલા માટે થઈ રહ્યું હતું, કારણ કે અમીષા પોતાના વખતની અભિનેત્રીઓ કરતાં પાછાં પડતાં જઈ રહ્યા હતાં, પરંતુ ફરી એક વાર તેઓ કેટલીક ફિલ્મો સાથે કમબૅક કરવાના મૂડમાં છે, પરંતુ અમીષાનું વલણ કઈંક ઓર જ કહી રહ્યું છે.
અમીષાએ જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે મને 12 વરસ થઈ ગયાં અને હું તો અહીંથી ક્યાંય ગઈ જ નથી. છતાં લોકો કેમ મારા વિશે કમબૅક કહે છે. કમબૅક તો માધુરી-શ્રીદેવી કરી રહ્યાં છે. અમીષાએ જણાવ્યું કે ફિલ્મો ફ્લૉપ થવા પાછળનું કારણ તેઓ નથી હોતાં. જ્યારે લગ્નનો સવાલ કરાયો, તે તેઓ બોલ્યાં - જ્યારે બધુ તેમની પાસે ખતમ થઈ જશે અને તેમની પાસે કરવા માટે કઈં જ નહીં રહે, ત્યારે તેઓ લગ્ન કરી લેશે. તેમણે જણાવ્યું કે લગ્ન એટલે નરક.
હવે અમીષા પટેલે આ વાત કયા સંદર્ભે કહી, તે તો તેઓ જ જાણે, પરંતુ તેમની આ વાત ભલભલાને કાંટાની જેમ વાગી શકે છે.
અમીષાની જીભ અહીં જ ન થોભી. તેમણે પોતાની જાતને બૉલીવુડના સૌથી શિક્ષિત અભિનેત્રી ગણાવી અને જણાવ્યું કે તેમની પાસે જ્ઞાન છે તથા અનુભવ પણ છે કે જે ફિલ્મ નિર્માણમાં સહાયક નિવડશે. લોકો તેમના દ્વારા નિર્મિત ફિલ્મ પસંદ કરશે.
આવો આપને બતાવીએ અમીષા પટેલની કેટલીક હૉટ તસવીરો.

હૉટ અમીષા પટેલ
અમીષાએ જણાવ્યું કે મને ઇન્ડસ્ટ્રીમાં 12 વરસ થઈ ગયાં અને હું સતત કાર્યરત્ છું. છતાંય મારી દરેક ફિલ્મ સાથે મને કમબૅકનું લેવલ કેમ લગાવાય છે?

હૉટ અમીષા પટેલ
અમીષા જણાવે છે કે લગ્ન કરવું એટલે નરક સમાન છે.

હૉટ અમીષા પટેલ
અમીષા પટેલ પોતાની જાતને સૌથી વધુ શિક્ષિત અને જ્ઞાની અભિનેત્રી ગણાવે છે.

હૉટ અમીષા પટેલ
અમીષા પટેલે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

હૉટ અમીષા પટેલ
ગદર બાદ અમીષાની કોઈ પણ હિટ ફિલ્મ નથી રહી.

હૉટ અમીષા પટેલ
અમીષા પટેલ ટુંકમાં જ એક ફિલ્મનું નિર્માણ કરનાર છે.












Click it and Unblock the Notifications
