Me Too: રેપનો આરોપ લગાવનાર વિંતા નંદા પર આલોક નાથે કર્યો માનહાનિનો કેસ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ‘સંસ્કારી' એક્ટર કહેવાતા આલોક નાથે પોતાના ઉપર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લગાવનાર વિંતા નંદા પર માનહાનિનો કેસ કર્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી 'સંસ્કારી' એક્ટર કહેવાતા આલોક નાથે પોતાના ઉપર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લગાવનાર વિંતા નંદા પર માનહાનિનો કેસ કર્યો છે. નિર્માતા-લેખક વિંતા નંદાએ એક્ટર પર આરોપ લગાવ્યો હતો કે 20 વર્ષ પહેલા આલોક નાથે તેના પર બળાત્કાર અને યૌન શોષણ કર્યુ હતુ. ત્યારબાદ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે પણ આલોક નાથ પર શરાબ પીને યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વિંતા નંદા પર માનહાનિનો કેસ
અભિનેતા આલોક નાથે વિંતા નંદા પર માનહાનિનો કેસ કર્યો છે. લેખક-નિર્માતા વિંતા નંદાએ સોમવારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા #Me Too કેમ્પેઈન હેઠળ પોતાની કહાની ફેસબુક પર શેર કરી હતી. પોતાની ફેસબુક પોસ્ટમાં યૌન શોષણનો ખુલાસો કરતા વિંતા નંદાએ જણાવ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીમાં ‘સંસ્કારી' નામથી જાણીતા આલોક નાથે તેના પર બળાત્કાર અને યૌન શોષણ કર્યુ હતુ. તેમના આરોપો બાદ બીજી મહિલાઓને પણ આલોક નાથ સામે બોલવાની હિંમત મળી હતી અને બે અન્ય મહિલાઓએ અભિનેતા પર સંગીન આરોપ લગાવ્યા.

સંધ્યા મૃદુલે આલોક નાથ પર લગાવ્યો યૌન શોષણનો આરોપ
‘હમ સાથ સાથ હે' ની એક ક્રૂ મેમ્બર અને એક્ટ્રેસ સંધ્યા મૃદુલે આલોક નાથ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સંધ્યા મૃદુલે ખુલાસો કર્યો હતો કે આલોક નાથે શરાબના નથામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એક્ટર સાથે ઘણી સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલ હિમાની શિવપુરીએ પણ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે શરાબ પીધા બાદ આલોક નાથ એકદમ બદલાઈ જતા હતા અને તેમના આ વ્યક્તિત્વ વિશે ઈન્ડસ્ટ્રીમાં બધાને ખબર હતી.

યૌન શોષણના ખુલાસા
#MeToo કેમ્પેઈન દ્વારા મહિલાઓએ પોતાની સાથે પોતાના થયેલા યૌન શોષણનો ખુલાસો કર્યો છે. બોલિવુડમાં સુભાષ ઘાઈ, આલોક નાથ, નાના પાટેકર, રોનિત રૉય અને પિયુષ મિશ્રાના નામ યૌન શોષણના મામલામાં સામે આવ્યા છે. વળી, રાજકારણમાં પણ આરોપીઓને ખુલ્લા પાડવાની મુહીમ ચાલુ થઈ ગઈ છે. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર સાત મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
