For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારો પુત્ર કરણ હાલ દિગ્દર્શનમાં રસ લે છે : સન્ની દેઓલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 એપ્રિલ : ઘણાં વખત બાદ અભિનેતા સન્ની દેઓલની અનેક ફિલ્મો એક સાથે આવી રહી છે. મોહલ્લા અસ્સી ફિલ્મ તૈયાર છે, તો આઈ લવ એનવાય ટુંકમાં જ રિલીઝ થવાની છે. ઉપરાંત તેઓ સિંહ સાહેબ ધ ગ્રેટ અને યમલા પગલા દીવાના 2 જેવી ફિલ્મોમાં પણ દેખાવાનાં છે.

બે વરસ અગાઉ આવેલી યમલા પગલા દીવાના ફિલ્મની રીમેક યમલા પગલા દીવાના 2ની ખાસ બાબત એ છે કે તેમાં સન્ની દેઓલના પુત્ર કરણ દેઓલ સહાયક દિગ્દર્શક છે.

આ અંગે સન્ની દેઓલનું કહેવું છે - મારો પુત્ર હાલ માત્ર ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે જ રસ લઈ રહ્યો છે. હું ઇચ્છું છું કે હીરો તરીકે લૉન્ચ થતા અગાઉ તેને સિનેમાના વિવિધ પાસાઓનો પણ બહેતર જ્ઞાન થઈ જાય. તે લીડ હીરો તરીકે લૉન્ચ થવાનો નિર્ણય પોતે જ કરશે.

વાયપીડી 2 અંગે સન્ની દેઓલ કહે છે - યમલા પગલા દીવાના ફિલ્મ કરતાં એકદમ જુદી છે તેની સિક્વલ. યમલા પગલા દીવાના એક હિટ ફિલ્મ હતી. તેથી અમે તેની સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો. યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં એક વિદેશી અભિનેત્રી ક્રિસ્ટીના કિવાને લૉન્ચ કરવા અંગે સન્નીએ જણાવ્યું કે હવે બૉલીવુડ ગ્લોબલ થઈ ચુક્યું છે. આ સાથે જ હવે હિન્દી દર્શકો પણ આ બદલાવોને સ્વીકારતાં થયાં છે.

સન્ની દેઓલે પોતાની આવનાર ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટ અંગે જણાવ્યું કે તેમાં આજના ભ્રષ્ટાચાર અંગે દર્શાવાયું છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા છે. આ અગાઉ અનિલ શર્મા સન્ની દેઓલની સુપર હિટ ફિલ્મ ગદર એક પ્રેમ કથાનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. અનિલ સાથે કામ કરવું સન્ની માટે ખૂબ જ સહજ હોય છે. સન્નીના જણાવ્યા મુજબ જ્યારે તેમણે તેમની સામે ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે જ મેં સ્વીકારી લીધો હતો.

English summary
Actor Sunny Deol says my son is taking interest in film direction and working as assistant director.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X