રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર એસપી જનનાથનનું 61 વર્ષની ઉંમરે નિધન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર એસપી જનનાથનનું 61 વર્ષની ઉંમરે નિધન
રાષ્ટ્રીય પુરસ્કરા વિજેતા નિર્દેશક એસપી જનનાથનનું રવિવારે સવારે 10 વાગ્યે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. થોડા દિવસ પહેલાં તેઓ પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. નિર્દેશક અરુમુગકુમાર મુજબ તેમને આજે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જે બાદ તેમનું નિધન થયું.

એસપી જનનાથન તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી આદરણીય નિર્દેશકોમાંથી એક હતા. તેઓ 61 વર્ષના હતા અને હાલમાં જ પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધન પર વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ સંવેદના વ્યક્ત કરી છે.
નિર્દેશક અરુમુગકુમારે શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું, "આપણા નિર્દેશક એસપી જનનાથન સર જેઓ ગંભીર હાલતમાં હતા અને અપોલો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો તેમનું આજે સવારે 10.07 મિનિટે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે." જણાવી દઈએ કે પોતાના ઘરે બેભાન હાલતમાં મળ્યા તે પહેલાં તેઓ એક ફિલ્મ લાબામની એડિટિંગ કરી રહ્યા હતા જેમાં અભિનેતા વિજય સેતુપતિ અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકાઓમાં છે.
અભિનેતા જયમ રવિ જેમણે ફિલ્મ પેરાનમાઈમાં તેમની સાથે કામ કર્યું હતું, તેમણે પણ તેના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટર પર નિર્દેશક જનનાથનની તસવીર શેર કરતા તેમણે લખ્યું, 'ભગવાન તમારી આત્માને શાંતિ આપે, તમે હંમેશા અમારી યાદોમાં રહેશો.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
