Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રેખા-ઐશ બાદ હવે નીતૂ બનશે ઉમરાવ જાન

મુંબઈ, 31 ઑક્ટોબર : સાંભળીને આશ્ચર્ય થયુંને આપને? પણ હકીકત આ જ છે કે અભિનેત્રી નીતૂ ચંદ્રા ઉમરાવ જાન બનવાની તૈયારી કરી રહ્યાં છે. અરે નહીં, સિલ્વર સ્ક્રીન ઉપર નહીં, પણ થિયેટરની દુનિયામાં. નીતૂ ચંદ્રા થિયેટરની દુનિયામાં પ્રવેશવા જઈ રહ્યાં છે. તેમના પ્રથમ પ્લેનું નામ છે ઉમરાવ જાન કે જેના માટે નીતૂ બહુ વધુ ઉત્સાહિત છે.

neetu-chandra
કહે છે કે નીતૂ વેશ્યાનો રોલ વ્યવસ્થિત રીતે ભજવવા માટે આજકાલ કત્થક નૃત્યનો અભ્યાસ કરી રહ્યાં છે. રેખા અને ઐશ્વર્યા રાય અગાઉ મોટા પડદા ઉપર ઉમરાવ જાનને જીવંત કરી ચુક્યાં છે. તે જ ભૂમિકાની તૈયારી માટે નીતૂ પોતાના કત્થક નૃત્યમાં નિપુણતા લાવી રહ્યાં છે. તેઓ ઉર્દૂ સંવાદોનો યોગ્ય ઉચ્ચારણ પણ શીખી રહ્યાં છે. નાટકના દિગ્દર્શક હિદયંત સામી છે, જ્યારે રેખા ભારદ્વાજે સંગીત તૈયાર કર્યું છે. 9મી નવેમ્બરે મુંબઈના પૃથ્વી થિયેટરમાં આ નાટકનું પ્રીમિયર થશે.

નીતૂ ચંદ્રાએ ગરમ મસાલા તથા ઓય લકી લકી ઓય જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે. 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં લીડ રોલ રેખાએ કર્યો હતો અને ઉમરાવ જાનના પાત્રને અમર બનાવી દીધુ હતું. આ ફિલ્મ માટે રેખા નેશનલ ઍવૉર્ડથી પણ સન્માનાયા હતાં. જોકે પછી જે પી દત્તાએ પણ ઉમરાવ જાનની રીમેક બનાવી કે જેમાં ઐશ્વર્યા રાય હતાં, પણ ફિલ્મ ચાલી નહીં. જોઇએ હવે નીતૂ ચંદ્રાના નાટક ઉમરાવ જાનને કેવોક પ્રતિસાદ મળે છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X