Parineeti Chopra Raghav Chadha Wedding: પ્રી-વેડિંગ ફંક્શન્સ શરુ, અરદાસ બાદ થશે પરિવારની ક્રિકેટ મેચ
Parineeti Chopra Raghav Chadha Wedding: બૉલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા તેના ફિયાન્સ રાઘવ ચઢ્ઢા સાથે 24 સપ્ટેમ્બર 2023ના રોજ સાત ફેરા લેવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પરિણિતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા અત્યારે હેડલાઇન્સમાં છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફંક્શન્સ 17 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ ગયા છે.
લગ્ન સમારંભની શરૂઆત અરદાસ સાથે થઈ હતી જે પછી શબદ કીર્તન કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો અને સંબંધીઓ સિવાય, ફક્ત નજીકના મિત્રો જ આ ધાર્મિક વિધિમાં ભાગ લે છે. અહેવાલ છે કે લગ્નની વિધિની સાથે પરિવારના સભ્યો અને મહેમાનો માટે ઘણી વિશેષ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. હાલ બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બર 2023ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન, દંપત્તિએ એક આત્મીય ગેટ-ટુગેધરનું પણ આયોજન કર્યું હતું. અરદાસ અને કીર્તન સાથે લગ્નની ઉજવણીનો પ્રારંભ થયો છે.
તમને જણાવી દઈએ કે પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા પોતપોતાના પરિવાર, સંબંધીઓ અને ખાસ મિત્રો સાથે વિવિધ કાર્યક્રમો માટે દિલ્હીમાં હાજર છે. ઈટાઈમ્સના અહેવાલ મુજબ, ઉજવણીમાં એક મજેદાર ટ્વિસ્ટ ઉમેરવા માટે, કપલનો પરિવાર ક્રિકેટ મેચમાં પણ હાજરી આપશે.
બંને પરિવારોના એક સૂત્રએ જણાવ્યું છે કે લગ્ન સમારોહમાં મહેમાનો માટે ઘણી મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાંથી એક ક્રિકેટ મેચ છે. આ ખાસ ક્રિકેટ મેચ ચોપરા અને ચઢ્ઢા પરિવાર વચ્ચે રમાશે. આ મનોરંજક પ્રવૃત્તિમાં કપલના મિત્રો પણ ભાગ લેવાના છે. આ ઉપરાંત, લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો માટે ઘણી વધુ મનોરંજક પ્રવૃત્તિઓ પણ ઉમેરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP યુવા નેતા રાઘવ ચઢ્ઢા રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કરશે. આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો, સંબંધીઓ અને નજીકના મિત્રો જ હાજરી આપશે. અહેવાલ છે કે રાઘવ ચઢ્ઢાની સેહરા બંદી પિચોલા તળાવના કિનારે સ્થિત તાજ હોટલમાં યોજાશે. આ પછી તે પોતાની દુલ્હન પરિણીતિ ચોપડાને લાવવા માટે જાનૈયા સાથે બોટ દ્વારા હોટેલ લીલા પેલેસ પહોંચશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
