Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાયલ રોહતગીએ કહ્યુ - સુશાંતની હત્યા થઈ છે, આ વ્યક્તિ પર ઉઠાવ્યા સવાલ

કંગના બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ કહ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી આ સવાલ દરેક જણ શોધી રહ્યુ છે. પોલિસ આ કેસની તપાસ કરી રહી છે. આ અંગે ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. બૉલિવુડની અમુક જાણીતી હસ્તીઓ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે સુશાંત સિંહ રાજપૂતને આઉટસાઈડર કહીને સાઈડલાઈન કરી દીધા. આ કારણે સુશાંત ડિપ્રેશનમાં હતા અને આ કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. ફિલ્મ અભિનેત્રી કંગના રનોતે તો આને પ્લાન્ડ મર્ડર ગણાવી દીધુ છે. કંગના બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ કહ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.

પાયલે કહ્યુ - સુશાંતનુ થયુ મર્ડર

પાયલે કહ્યુ - સુશાંતનુ થયુ મર્ડર

પાયલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે જેટલુ પણ હું સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે વાંચુ છુ, એટલુ મને ગુસ્સો આવે છે...સુશાંત સિંહ રાજપૂતનુ ખૂન કરવામાં આવ્યુ છે. આ સુસાઈડ નથી પરંતુ મર્ડર છે. સાથે જ પોતાના વીડિયોમાં પાયલે સુશાંતના સાઈકિયાટ્રીસ્ટ કલસી ચાવલા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

પાયલે સાઈકિયાટ્રીસ્ટ પર ઉઠાવ્યા સવાલ

પાયલે કહ્યુ છે કે, હું આ સાઈકિયાટ્રીસ્ટ કલસી ચાવલાને જાણે છે, હું પણ મારા એક ફ્રે્ડના કહેવા પર તેમને મળી હતી, ઈન્ટરનેટ પર સાઈકિયાટ્રીસ્ટનો રિપોર્ટ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે સુશાંત બાયપોલર ડિસઑર્ડરનો શિકાર હતા પરંતુ તે સાઈકિયાટ્રીસ્ટ પાસે જે પણ ડિપ્રેશન સાથે જતા તે એનો ઈલાજ બાયપોલર ડિસઑર્ડરનો જ કરે છે, હું ખુદ પણ તેમની પાસે ગઈ હતી અને તેમની દવાઓથી લોકો વધુ ડિપ્રેશ થઈ જાય છે. મને લાગે છે કે આ એક ષડયંત્ર છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનને આત્મહત્યા ગણાવવાની, આ એક હત્યા હોઈ શકે છે. સુશાંત દુપટ્ટાના સહારે કેવી રીતે આત્મહત્યા કરી શકે છે. પાયલે ગળુ દબાવી દીધુ હોવાની શંકા વ્યક્ત કરી છે.

સુશાંતની આત્મહત્યાથી ઉઠ્યા ઘણા સવાલ

સુશાંતની આત્મહત્યાથી ઉઠ્યા ઘણા સવાલ

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવી ગયો છે. સુશાંતના મોત બાદ બૉલિવુડમાં અંદરના-બહારના, જૂથબાજી અને નેપોટિઝમ જેવી વાતો પર ચર્ચા એક વાર ફરીથી શરૂ થઈ ગઈ છે. મીડિયામાં પણ સુશાંતના મોત અને તેની સાથે જોડાયેલ સમાચારોને મુખ્યરીતે બતાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા, ફેન્સ અને ઘણા રાજકીય નેતાઓની માંગ બાદ હવે મુંબઈ પોલિસ સુશાંતના કેસમાં પ્રોફેશનલ રાઈવલરીના એંગલની તપાસ કરી રહી છે કે ક્યાંક કોઈ વ્યક્તિ કે સમૂહે જાણીજોઈને તો સુશાંતને એટલો હેરાન નથી કર્યો કે તેણે આત્મહત્યા કરવી પડી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X