પાયલ રોહતગીએ કહ્યુ - સુશાંતની હત્યા થઈ છે, આ વ્યક્તિ પર ઉઠાવ્યા સવાલ
કંગના બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ કહ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી આ સવાલ દરેક જણ શોધી રહ્યુ છે. પોલિસ આ કેસની તપાસ કરી રહી છે. આ અંગે ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. બૉલિવુડની અમુક જાણીતી હસ્તીઓ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે સુશાંત સિંહ રાજપૂતને આઉટસાઈડર કહીને સાઈડલાઈન કરી દીધા. આ કારણે સુશાંત ડિપ્રેશનમાં હતા અને આ કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. ફિલ્મ અભિનેત્રી કંગના રનોતે તો આને પ્લાન્ડ મર્ડર ગણાવી દીધુ છે. કંગના બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ કહ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.

પાયલે કહ્યુ - સુશાંતનુ થયુ મર્ડર
પાયલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે જેટલુ પણ હું સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે વાંચુ છુ, એટલુ મને ગુસ્સો આવે છે...સુશાંત સિંહ રાજપૂતનુ ખૂન કરવામાં આવ્યુ છે. આ સુસાઈડ નથી પરંતુ મર્ડર છે. સાથે જ પોતાના વીડિયોમાં પાયલે સુશાંતના સાઈકિયાટ્રીસ્ટ કલસી ચાવલા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
પાયલે સાઈકિયાટ્રીસ્ટ પર ઉઠાવ્યા સવાલ
પાયલે કહ્યુ છે કે, હું આ સાઈકિયાટ્રીસ્ટ કલસી ચાવલાને જાણે છે, હું પણ મારા એક ફ્રે્ડના કહેવા પર તેમને મળી હતી, ઈન્ટરનેટ પર સાઈકિયાટ્રીસ્ટનો રિપોર્ટ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે સુશાંત બાયપોલર ડિસઑર્ડરનો શિકાર હતા પરંતુ તે સાઈકિયાટ્રીસ્ટ પાસે જે પણ ડિપ્રેશન સાથે જતા તે એનો ઈલાજ બાયપોલર ડિસઑર્ડરનો જ કરે છે, હું ખુદ પણ તેમની પાસે ગઈ હતી અને તેમની દવાઓથી લોકો વધુ ડિપ્રેશ થઈ જાય છે. મને લાગે છે કે આ એક ષડયંત્ર છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનને આત્મહત્યા ગણાવવાની, આ એક હત્યા હોઈ શકે છે. સુશાંત દુપટ્ટાના સહારે કેવી રીતે આત્મહત્યા કરી શકે છે. પાયલે ગળુ દબાવી દીધુ હોવાની શંકા વ્યક્ત કરી છે.

સુશાંતની આત્મહત્યાથી ઉઠ્યા ઘણા સવાલ
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવી ગયો છે. સુશાંતના મોત બાદ બૉલિવુડમાં અંદરના-બહારના, જૂથબાજી અને નેપોટિઝમ જેવી વાતો પર ચર્ચા એક વાર ફરીથી શરૂ થઈ ગઈ છે. મીડિયામાં પણ સુશાંતના મોત અને તેની સાથે જોડાયેલ સમાચારોને મુખ્યરીતે બતાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા, ફેન્સ અને ઘણા રાજકીય નેતાઓની માંગ બાદ હવે મુંબઈ પોલિસ સુશાંતના કેસમાં પ્રોફેશનલ રાઈવલરીના એંગલની તપાસ કરી રહી છે કે ક્યાંક કોઈ વ્યક્તિ કે સમૂહે જાણીજોઈને તો સુશાંતને એટલો હેરાન નથી કર્યો કે તેણે આત્મહત્યા કરવી પડી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
