આસારામ બનવું સરળ નથી : અર્જુન રામપાલ
મુંબઈ, 26 સપ્ટેમ્બર : પ્રકાશ ઝાના ફૅવરિટ સ્ટાર્સમાંના એક છે અર્જુન રામપાલ. રાજનીતિ તથા સત્યાગ્રહમાં પોતાની મહત્વનો રોલ કરનાર અર્જુન રામપાલ પુનઃ એક વાર પ્રકાશ ઝાની ફિલ્મ સત્સંગમાં કામ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મમાં ઝાની જૂની ટીમ જ નજરે પડનાર છે એટલે કે અજય દેવગણ, અર્જુન રામપાલ અને મનોજ બાજપાઈ. ફિલ્મ સત્સંગ આસારામના જીવન પર આધારિત છે.
લોકોનું કહેવું છે કે પ્રકાશ ઝા તો ફિલ્મમાં આસારામનો રોલ પોતાના ખાસમખાસ અજય દેવગણને આપશે, તો કોઇક કહેછે કે આસારામનો રોલ નેગેટિવ રોલ છે અને તે મનોજ બાજપાઈને જ અપાશે, કારણ કે રાજનીતિ, આરક્ષણ તથા સત્યાગ્રહ ત્રણે ફિલ્મોમાં વિલનનો રોલ મનોજ બાજપાઈએ ભજવ્યો છે. તો કોઇક કહે છે કે આ વખતે આ રોલ અર્જુન રામપાલને અપાશે.
હાલ જ્યારે એક કાર્યક્રમ દરમિયાન અર્જુનને સત્સંગ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું - મને પણ હજી હમણા જ ખબરી પડી છે. આના કરતાં વધુ કંઈ જાણતો નથી. તેમણે મજાકમાં જણાવ્યું - મને લાગે છે કે આસારામ બાપૂનો રોલ ભજવવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે.
નોંધનીય છે કે પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ કહેડાવતા આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ છે. તેમની સામે 15 વરસની કિશોરી સાથે રેપ કરવાનો આરોપ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
