સુપરસ્ટાર પ્રભાસના લગ્ન ક્યારે અને ક્યાં થશે? ફોઈએ કર્યો ખુલાસો, કહ્યુ - 'લગ્નમાં આમંત્રણ આપીશુ'
Prabhas Wedding: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ આજકાલ તેની આગામી ફિલ્મ સલારને લઈને ચર્ચામાં છે. અભિનેતાની આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે એક્ટર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
આદિપુરુષ ફિલ્મ બાદ અભિનેતાનું નામ કૃતિ સેનન સાથે જોડાયું હતું. આ સિવાય ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે લિંકઅપના સમાચાર પણ આવ્યા હતા. જે બાદ ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પ્રભાસના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેતાની ફોઈ શ્યામલા દેવીએ તેમના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે. M9News.com સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'અમારી પાસે દુર્ગમ્માના આશીર્વાદ છે. ભગવાન આપણા બધાની સારી સંભાળ રાખશે. પ્રભાસ ચોક્કસપણે લગ્ન કરશે અને તે ટૂંક સમયમાં થશે. અમે તમને બધાને (મીડિયા) લગ્નમાં આમંત્રિત કરીશું અને ઉજવણી પણ કરીશું.
તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રભાસે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના લગ્નના લોકેશનની પુષ્ટિ કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે તે તિરુપતિ મંદિરમાં લગ્ન કરશે. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે લગ્નને લઈને તેનો શું પ્લાન છે અને તે ક્યારે કરશે? તો અભિનેતાએ કહ્યું કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. જો કે તે કોની સાથે લગ્ન કરશે તે હજુ સુધી કન્ફર્મ થયું નથી.
હાલમાં જ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી. જે AI દ્વારા બનાવવામાં આવી હતી. આ તસવીરોમાં કપલ લગ્નના પોશાકમાં જોવા મળ્યું હતું. જેને જોઈને ચાહકો ખુશ થઈ ગયા. તમને જણાવી દઈએ કે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી ઘણા સારા મિત્રો છે. બંને ઘણી વખત ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. 'બાહુબલી' અને 'બાહુબલી 2'માં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
પ્રભાસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ સલાર 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. જે શાહરૂખ ખાનની ડોન્કીને ક્લેશ કરશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રુતિ હસન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલા અભિનેતાની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ હતી જે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.












Click it and Unblock the Notifications
