ટીમ અણ્ણાએ જોવી છે સત્યાગ્રહ, પ્રકાશ ઝાનો ઇનકાર
મુંબઈ, 3 ઑગસ્ટ : જાણવા મળે છે કે ટીમ અણ્ણા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જોવા માંગે છે. હકીકતમાં ટીમ અણ્ણાને ભીતિ છે કે ક્યાંક પડદા ઉપર સમાજસેવી અણ્ણા હઝારેને ખોટી રીતે ન રજૂ કરી દેવાય.

બીજી બાજુ પ્રકાશ ઝા ટીમ અણ્ણાનો આ આગ્રહ સ્વીકારવાના મૂડમાં નથી લાગતાં. કહે છે કે સત્યાગ્રહ અણ્ણા હઝારેના ભ્રષ્ટાર વિરોધી આંદોલન પર આધારિત છે કે જેમાં અમિતાભ બચ્ચન સમાજસેવીની ભૂમિકામાં છે અને અજય દેવગણ અરવિંદ કેજરીવાલ જેવી ભૂમિકામાં છે.
તાજા સમાચાર એ છે કે ટીમ અણ્ણા પ્રકાશ ઝાને કહી ચુકી છે કે ફિલ્મ રિલીઝ થતા અગાઉ તેને બતાવવામાં આવે. બીજી બાજુ લીક સે હટકે ફિલ્મ બનાવનાર ઝાએ જણાવ્યું - ફિલ્મ 30મી ઑગસ્ટે રિલીઝ થશે. તેઓ ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા માટે સ્વતંત્ર છે. કોઈ કોઈને ફિલ્મ જોવાથી નહિં રોકે. આ સ્વતંત્ર દેશ છે.
પ્રકાશ ઝા કહે છે - સત્યાગ્રપના પાત્રો અણ્ણા હઝારે તેમજ અરવિંદ કેજરીવાલથી પ્રેરિત નથી. રાજનીતિ ફિલ્મ દરમિયાન પણ આવી જ અટકળો લગાવાતી હતી કે મેં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તેમજ તેમના પત્ની અંગે ફિલ્મ બનાવી છે. હું જાણુ છું કે અણ્ણા હઝારેના ટેકેદારોની અંદર મારી નવી ફિલ્મ અંગે શંકાઓ છે. મારી ફિલ્મ ભ્રષ્ટાચાર વર્સિસ જેહાદ અંગે છે. તેનો ખાસ ચરિત્ર સાથે કોઈ સંબંધ નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
