5 વર્ષની ઉંમરથી આ બિમારીથી પિડાય છે પ્રિયંકા ચોપડા, ટ્વિટ કરીને કર્યો ખુલાસો
હાલમાં બોલિવુડ સિતારાઓની બિમારીના સમાચારોએ લોકોને પરેશાન કરી દીધા છે. હંમેશાથી જોવા મળ્યુ છે કે ફિલ્મી સિતારાઓ પોતાની બિમારી પર ખુલીને વાત નથી કરતા પરંતુ પ્રિયંકા ચોપડા તે લોકોથી અલગ છે.
હાલમાં બોલિવુડ સિતારાઓની બિમારીના સમાચારોએ લોકોને પરેશાન કરી દીધા છે. હંમેશાથી જોવા મળ્યુ છે કે ફિલ્મી સિતારાઓ પોતાની બિમારી પર ખુલીને વાત નથી કરતા પરંતુ પ્રિયંકા ચોપડા તે લોકોથી અલગ છે. પૂર્વ વિશ્વસુંદરી અને હિંદી સિનેમાની કાતિલ હસીના પ્રિયંકા ચોપડાએ ખુલાસો કર્યો છે કે તે 5 વર્ષની ઉંમરથી અસ્થમાથી પીડિત છે.

5 વર્ષની ઉંમરથી અસ્થમા સામે ઝઝૂમી રહી છે પ્રિયંકા ચોપડા
પ્રિયંકાએ આ વાત પોતે ટ્વિટ કરીને જણાવી છે. પ્રિયંકાએ લખ્યુ છે કે તેને અસ્થમા (દમ) નો રોગ છે અને તેમાં છૂપાવવા જેવા કોઈ વાત નથી. તેણે સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં પ્રિયંકા લોકોને આ રોગ વિશે જાગૃત કરતી જોવા મળી રહી છે.
|
‘હું 5 વર્ષથી ઉંમરથી જ અસ્થમાથી પીડિત છું'
વીડિયોમાં પ્રિયંકાએ જણાવ્યુ છે કે હું 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાથી પીડિત છુ પરંતુ મારી મા એ મને આમાં ખૂબ મદદ કરી છે. પહેલા મને લોકો કહેતા હતા કે વધુ દવા ના લે. એની આદત થઈ જશે. પછી મે ગોળીઓ બંધ કરી દીધી. તેના મુકાબલે ઈનહેલર વધુ સારુ હોય છે. મને જાણનારા ઘણા લોકોને ખબર છે કે મને અસ્થમા છે પરંતુ મે કોઈનાથી છૂપાવ્યુ નથી અને તમને લોકોને પણ કહુ છુ કે પોતાની આ બિમારીને લોકોથી છૂપાવો નહિ.

‘હું ક્યારેય પણ મારી બિમારી માટે હેરાન નથી થતી'
પ્રિયંકાએ કહ્યુ કે ઘણી વાર સ્ટેજ શો કરતી વખતે મને ઘણી મુશ્કેલી થાય છે ત્યારે મને ઈનહેલરની જરૂર પડે છે પરંતુ હું ક્યારેય મારી આ બિમારી માટે હેરાન નથી થતી અને ના તો આના માટે પોતાના કામ સાથે સમજૂતી કરુ છુ. મારુ માનવુ છે કે રોગને છૂપાવવો નહિ પરંતુ તેની સાથે લડવુ જોઈએ અને તેને હંમેશા દૂર ભગાડવાનો ઉપાય કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે બોલિવુડની આ જંગલી બિલ્લીએ હાલમાં જ અસ્થમાની દવાના પ્રચારનો વીડિયો મુંબઈમાં શૂટ કર્યો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
