For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શત્રુએ કહ્યું ‘રાણી ચોપરા’! આદિત્યને પરણવાની ચર્ચા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ફેબ્રુઆરી : જેમ કે આપ સૌ જાણો જ છો કે બૉલીવુડમાં રાણી અને આદિત્ય ચોપરા લગ્ન કરનાર છે. અંદરની માહિતી ધરાવનારાઓ તો એમ પણ કહે છે કે રાણી અને આદિત્ય આવતા મહીને એટલે કે માર્ચમાં લગ્ન કરનાર છે. બંનેના લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે, પરંતુ હાલ બંને પરિવારોએ આ અંગે મૌન ધારણ કરી રાખ્યું છે. કદાચ આ જ કારણ રહ્યું કે જ્યારે બૉલીવુડના બિહારી બાબુ એટલે કે અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ ભરી મહેફિલમાં ખુલ્લેઆમ રાણી મુખર્જીને રાણી ચોપરા તરીકે સંબોધી. છતાં પણ રાણી અને આદિત્ય બંને જ ચુપ જ રહ્યાં.

-yash-chopras-statue-shatrughna

કારણ કે બંનેને ખબર હતી કે શત્રુઘ્ન સિન્હાએ કંઈ જ ખોટું કહ્યું નહોતું. પ્રસંગ હતો સ્વર્ગસ્થ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાની મૂર્તિના અનાવરણનો કે જ્યાં શૉટગન પત્ની સાથે પહોંચ્યા હતાં. ત્યાં યશ ચોપરાનો સમગ્ર પરિવાર અને બૉલીવુડના ચર્ચિત ચહેરાઓ હાજર હતાં.

દરમિયન શત્રુઘ્ન સિન્હાએ સ્વર્ગસ્થ યશજીના પારિવારિક સભ્યોના નામો સંબોધતા જણાવ્યું - પામેલ ચોપરા, ઉદય ચોપરા, રાણી, પરંતુ તે જ વખતે તેમણે જણાવ્યું કે મારા પત્ની પૂનમે કહ્યું કે મેં આદિત્ય ચોપરાનું નામ નથી લીધું. તો અરે ભાઈ જ્યારે મેં રાણી ચોપરા નામ પોકાર્યું, તો આદિત્ય તો આપમેળે આવી જ જશે.

ખેર આ વાતમાં કેટલી સચાઈ છે, તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ પુનઃ એક વાર રાણીના લગ્નની ચર્ચા જોર પકડી રહી છે.

English summary
Actress Rani Mukherjee and Director Aditya Chopra to tie the knot in March so Shatrughan Sinha calls Rani Mukherjee a 'Chopra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X