સુશાંતના ટ્વિટર અને આત્મહત્યા વચ્ચે કનેક્શન, ખુલી રહ્યા છે રાઝ
સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતા અને આ રાઝ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા પણ વ્યક્ત કરવાની કોશિશ કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ડિપ્રેશનનો મુદ્દો એક વાર ફરીથી ચર્ચાાં આવી ગયો છે. લોકો આના ઉંડાણને સમજવાની કોશિશ કરી રહ્યા છે. એવુ શું થયુ કે વ્યક્તિએ પોતાનો જીવ લઈ લીધો? સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતા અને આ રાઝ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા પણ વ્યક્ત કરવાની કોશિશ કરી હતી. તેમના ટ્વિટરનો કવર ફોટો એક એવા પેઈન્ટરે બનાવ્યો છે જે ડિપ્રેશન સામે લડી રહ્યા હતા અને બાદમાં તેમણે આત્મહત્યા કરી લીધી. અદ્વિતીય ડચ ચિત્રકાર અને શિલ્પકાર વિંસેન્ટ વેન ગોંગ વિશે કહેવાય છે કે આ પેઈન્ટીંગ તેમણે ત્યારે બનાવી હતી જ્યારે તે ડિપ્રેશમાં હતા. સ્ટારી નાઈટ નામની આ પેઈન્ટિંગને વિંસેન્ટે વર્ષ 1989માં બનાવી હતી. એક વર્ષ બાદ 1890માં વિંસેંટે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
વિજ્ઞાન પ્રત્યેનો તેમનો ઝૂકાવ
સુશાંતનુ ટ્વિટર પ્રોફાઈલ તેમના વિચારો, દર્શન અને વિજ્ઞાન પ્રત્યેનો તેમનો ઝૂકાવ દર્શાવતો હતો. જે રીતે ડબલ સ્લિટ પ્રયોગે (Photon in a double-slit)ફોટોન એટલે કે પ્રકાશના વ્યક્તિત્વને દર્શાવ્યો. સુશાંત પણ પોતાની બહુમુખી પ્રતિભા અને બહુઆયામી વ્યક્તિત્વને દર્શાવવા ઈચ્છતા હતા.
ટ્વિટર પર છૂપાયા છે રાઝ
પેઈન્ટર વિંસેંટ વેન ગોંગે 37 વર્ષની ઉંમરમાં ઉથલપાથલભરી જિંદગી, નોકરી, ડિપ્રેશન અને એકલવાયા જીવનના કારણે આત્મહત્યા કરી લીધી હતી. 10 વર્ષમાં તેમણે લગભગ 900 પેઈન્ટીંગ્ઝહ બનાવ્યુ. એવુ કહેવાય છે કે તેમના ચિત્રોનો આજે પણ અર્થ કાઢવો મુશ્કેલ છે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
વળી, 3 જૂને સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે પોતાની મા પર એક ભાવુક કવિતા લખી હતી. સાથે જ તેમણે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો.
સોશિયલ મીડિયા
સુશાંતના ટ્વિટસ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમના શબ્દોની પસંદગી તેમના વૈજ્ઞાનિક અને દાર્શનિક ઝૂકાવને દર્શાવે છે.
'મારી ભૂલ છે, હું તારા ટચમાં ના રહ્યો, મને અહેસાસ હતોઃ કરણ જોહર'